ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહે સોમવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહે સોમવારે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ભાગલા સમયે બધા મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત અને બધા હિન્દુઓને ભારતમાં લાવવામાં આવ્યા હોત તો દેશ આજે સ્વર્ગ જેવો હોત. ભાગલા જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાની મહત્ત્વાકાંક્ષાઓ અને ગાંધીજીની મધ્યસ્થીને કારણે થયા હતા. મોટા ભાગના મુસ્લિમોએ એનું સમર્થન કર્યું હતું અને અહીં રોકાયેલા લોકોએ ‘ગઝવા-એ-હિંદ’નું સમર્થન કર્યું હતું.’
