મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ચાલુ બજેટસત્ર દરમ્યાન શિમલામાં રાજ્યની વિધાનસભાના ફ્લોર પર આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ
પંજાબ અને હરિયાણામાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયા બાદ હિમાચલ પ્રદેશ સરકારે મંગળવારે વ્હીકલ એન્ટ્રી ટૅક્સમાં પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લીધો હતો, જેમાં પંજાબના વિધાનસભ્યોએ હિમાચલ-રજિસ્ટર્ડ વાહનો સામે બદલો લેવાની ધમકી પણ આપી હતી. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ચાલુ બજેટસત્ર દરમ્યાન શિમલામાં રાજ્યની વિધાનસભાના ફ્લોર પર આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
૩૧ માર્ચની મધ્યરાત્રિથી પાંચ-સીટર વાહનો માટે એન્ટ્રી-ફી ૭૦ રૂપિયાથી વધારીને ૧૭૦ રૂપિયા જ્યારે છથી ૧૨-સીટર વાહનો માટેની એન્ટ્રી-ફી ૧૧૦ રૂપિયાથી વધારીને ૧૩૦ રૂપિયા કરવાની જાહેરાત સુખુએ કરી હતી. જોકે પંજાબ અને હરિયાણામાં આનો વિરોધ થતાં હવે પહેલી એપ્રિલથી એન્ટ્રી-ફી બન્ને શ્રેણીનાં વાહનો માટે અનુક્રમે ૭૦ રૂપિયા અને ૧૧૦ રૂપિયા ચાલુ રહેશે.
ADVERTISEMENT
અમરાવતીને આંધ્ર પ્રદેશનું પાટનગર બનાવવાનું બિલ લોકસભામાં પસાર
બુધવારે લોકસભામાં આંધ્ર પ્રદેશની સ્થાયી અને એકમાત્ર રાજધાની તરીકે અમરાવતીને માન્યતા આપતું બિલ પાસ થયું હતું. BJP અને તેલુગુ દેસમ પાર્ટી સાથે કૉન્ગ્રેસે પણ આ બિલનું સમર્થન કર્યું હતું. જોકે આંધ્ર્ર પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી YSRCPએ બિલનો વિરોધ કર્યો હતો. ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે આ બિલ રજૂ કર્યું હતું. એના પર એક કલાક ચર્ચા થઈ હતી અને ધ્વનિમતથી બહુમત સાથે મંજૂરી મળી ગઈ હતી.
