આંધ્રમાં દસમી જૂને રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થશે
ગૌતમ અદાણી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી કે તેમનાં વાઇફ ડૉ. પ્રીતિ અદાણીને આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાની ટિકિટ મળશે એમ ચર્ચાઈ રહ્યું છે, જ્યાં દસમી જૂને રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થશે. વિધાનસભામાં વાયએસઆરસીની ક્ષમતા જોતાં ખાલી થનારી આ ચારેય બેઠકો પર એ જીતે એવી શક્યતા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીને ગૃહપ્રધાન અમિત શાહે ગૌતમ અદાણીના પરિવારમાંથી કોઈ એકને સ્થાન આપવા જણાવ્યું હતું અને જગન મોહન રેડ્ડી એના માટે સંમત થયા હતા.