° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


નોબલ પ્રાઈઝ પેનલના મેમ્બરે રશિયા-યુક્રેન સંઘર્ષ પર પીએમ મોદીના ‘આ યુદ્ધનો યુગ નથી’ નિવેદનની પ્રશંસા કરી

17 March, 2023 01:28 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉર્વેથી નોબેલ પ્રાઇઝ કમિટીની ટીમ ભારત આવી પહોંચી : કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે ટોજેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે દુનિયા આશાભરી નજરે જોઈ રહી છે. હવે તેમની પ્રશંસા કરનારાઓમાં નોબેલ પ્રાઇઝ કમિટીના મેમ્બરનું નામ પણ સામેલ થઈ ગયું છે. વાસ્તવમાં નૉર્વેથી નોબેલ પ્રાઇઝ કમિટીની ટીમ ભારત આવી પહોંચી છે. આ કમિટી પીસ પ્રાઇઝના વિનરની પસંદગી કરે છે. આ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે ટોજેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી જેવા પાવરફુલ લીડરમાં શાંતિ સ્થાપવાની જબરદસ્ત ક્ષમતા છે.

ટોજેએ એક ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નોબેલ પીસ પ્રાઇઝ માટે અમને મોટી સંખ્યામાં ઇન્ડિયન નૉમિનેશન્સ મળી રહ્યાં છે. હું પીએમ મોદીના પ્રયાસોને ફૉલો કરું છું. પીએમ મોદી પાવરફુલ દેશમાંથી આવે છે અને તેમને ગંભીરતાથી લેવામાં આવે છે. તેઓ પોતાની વિશ્વસનીયતા અને ક્ષમતાનો ઉપયોગ રશિયા અને યુક્રેનના ભયાનક યુદ્ધને રોકવા માટે કરશે. મને આનંદ છે કે મોદી ફક્ત ભારતને આગળ વધારવાનું જ કામ નથી કરતા, પરંતુ દુનિયામાં શાંતિ માટે જરૂરી હોય એ તમામ મુદ્દાઓ માટે પણ કામ કરે છે. આગામી સમયમાં અનેક ભારતીયોને નોબેલ પ્રાઇઝ માટે નૉમિનેટ કરવામાં આવશે. દુનિયામાં શાંતિ જાળવી રાખવા માટે પીએમ મોદીનો રોલ ખૂબ જરૂરી છે. રશિયા અને યુક્રેન બન્ને ભારતને ખૂબ માને છે. આ યુદ્ધને રોકવું હોય તો ભારતનો રોલ ખૂબ જરૂરી છે.’

(Disclaimer: નોબલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે તોજે લેખના અગાઉના સંસ્કરણમાં ખોટી રીતે ટાંકવામાં આવ્યા હતા. લેખના કન્ટેન્ટને સ્થાપિત SOP અને સુધારણા નીતિ અનુસાર બદલવામાં આવી છે અને અપડેટ કરવામાં આવી છે. અમારા વાચકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.)

17 March, 2023 01:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી, પણ નેતા નહીં જાય જેલ, શા માટે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટ(Surat Court)એ પોતાનો ચુકાદો આપ્યો છે.

23 March, 2023 12:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

જેવા સાથે તેવા? દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની બહારનાં બૅરિકેડ્સ હટાવાયાં

એના પછી તરત જ લંડનમાં ઇન્ડિયન મિશન ખાતે વધુ પોલીસ તહેનાત કરાઈ અને વધુ બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં

23 March, 2023 11:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

એસ. એમ. ક્રિષ્ના, બિરલા અને સુમન કલ્યાણપુરને પદ્‍મ અવૉર્ડ્‌સ એનાયત કરાયા

રાષ્ટ્રપતિએ આ વર્ષના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૧૦૬ પદ્‍મ અવૉર્ડ્સ વિજેતાઓનાં નામને મંજૂરી આપી હતી

23 March, 2023 11:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK