દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું
અનિલ બૈજલ
નવી દિલ્હી (આઇ.એ.એન.એસ.) ઃ દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું અને એ માટે તેમણે અંગત કારણોનો હવાલો આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર અનિલ બૈજલે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલ્યું હતું.
લેફ્ટનન્ટ ગવર્નર તરીકે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની વચ્ચે ઘણા મુદ્દા પર વિવાદ હતા.