BJPમાં ચણભણ થઈ રહી છે ત્યારે પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું...
દેવેન્દ્ર ફડણવીસ ,ચંદ્રશેખર બાવનકુળે,એકનાથ ખડસે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને લીધે જ એકનાથ ખડસેએ ચાર વર્ષ પહેલાં BJPને રામ-રામ કરીને શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં પ્રવેશ કર્યો હતો. હવે તેઓ ફરી BJPમાં જોડાવાની ચર્ચા છે અને તેઓ મહારાષ્ટ્રમાં નહીં પણ દિલ્હી જઈને પ્રવેશ કરશે એવું જાણવા મળ્યું છે ત્યારે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે ક્યારેય એકનાથ ખડસેનો વિરોધ નથી કર્યો, કાયમ તેમનો આદર કર્યો છે. આથી એકનાથ ખડસેનો ફરી પક્ષમાં સમાવેશ થશે તો આ બન્ને નેતાઓને કારણે કોઈ મુશ્કેલી ઊભી થશે એવું કંઈ નથી. અશોક ચવાણ અને અર્ચના પાટીલ સહિતના અનેક નેતાઓ BJPમાં જોડાયા છે. જે કોઈ પણ અમારી સાથે આવવા માગે છે તેમનું સ્વાગત છે.’એકનાથ ખડસેએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ ૧૫ દિવસમાં દિલ્હીમાં જઈને BJPમાં પ્રવેશ કરશે.