Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Cyclone Biparjoy:ચક્રવાત બિપરજોય વધુ ખતરનાક, જાણો કયા રાજ્યોમાં જોવા મળશે અસર

Cyclone Biparjoy:ચક્રવાત બિપરજોય વધુ ખતરનાક, જાણો કયા રાજ્યોમાં જોવા મળશે અસર

09 June, 2023 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન `બિપરજોય`(Cyclone Biparjoy)નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 36 કલાકમાં બિપરજોય(Cyclone Biparjoy)વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન `બિપરજોય`(Cyclone Biparjoy)નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 36 કલાકમાં બિપરજોય(Cyclone Biparjoy)વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યાર બાદ તે ગંભીર ચક્રવાતી તોફાન બનવાની સંભાવના છે. આ વાવાઝોડાની અસર ગોવા (Goa),કર્ણાટક, ઉત્તર કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન તોફાન(Cyclone Biparjoy) અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે કહ્યું કે બિપરજોય((Cyclone Biparjoy)આગામી 36 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમજ આગામી બે દિવસમાં તે ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા



IMD અનુસાર, ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન 8 જૂનના રોજ રાત્રે 11:30 વાગ્યે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર આવેલું છે, જે ગોવાના 840 કિમી પશ્ચિમમાં અને મુંબઈ(Mumbai)થી 870 કિમી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. હવામાન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે બિપરજોય(Cyclone Biparjoy) આગામી 36 કલાકમાં ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આગામી બે દિવસ દરમિયાન તે અહીંથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. જેમ જેમ તે આગળ વધે તેમ તેનું સ્વરૂપ વધુ ખરાબ થવાની શક્યતા છે.


આ રાજ્ય ઘેરાબંધી હેઠળ છે

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ-બે દિવસ દરમિયાન આ વાવાઝોડું બિપરજોય (Cyclone Biparjoy) ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ઉત્તર કેરળ, કર્ણાટક, ગોવાના તટીય વિસ્તારો આ વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, ચક્રવાતી તોફાનને દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડે છે.


આ પણ વાંચો: શ્રદ્ધા વાલકર જેવા મીરા રોડના કાંડનું કારણ શું? બીમારી, અફેર કે બીજું કાંઈ?

હવામાન વિભાગની ચેતવણી

બીજી તરફ, એક અહેવાલ મુજબ, આ ચક્રવાત (Cyclone Biparjoy)ને કારણે, 9 થી 11 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત (Gujarat)ના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, કેરળ, કર્ણાટક અને ગોવાની સરકાર આ વાવાઝોડાને લઈને એલર્ટ મોડમાં છે. કોઈપણ પ્રકારની કુદરતી આફતને પહોંચી વળવા માટે સરકાર સજ્જ થઈ ગઈ છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

       આ પણ વાંચો: તમને ખબર છે કે નિર્મલા સિતારમણનો જમાઇ ગુજરાતી છે! જાણો PMOમાં શું કામ કરે છે...

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનને કારણે સર્જાયેલા બિપરજૉય સાઇક્લોને અત્યારે ગુજરાત સરકારને જબરદસ્ત અવઢવમાં મૂકી છે. અરબી સમુદ્રમાં પોરબંદરથી અંદાજે ૯૭૦ કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલા બિપરજૉયની ઝડપ કલાકની ૭ કિલોમીટરની છે છતાં એની દિશા ચોક્કસ ન હોવાને લીધે એ નિશ્ચિતપણે પાકિસ્તાન અને ઓમાન તરફ આગળ વધશે કે પછી ગુજરાતના પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે એ નક્કી થઈ શકતું નથી. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2023 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK