Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 52,050 કેસ, 803 દર્દીઓનાં મોત
મહિલાનું ટેમ્પરેચર તપાસતા આરોગ્ય કર્મચારીઓ
દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 52,050 નવા કેસ નોંધાયા છે અને 803 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 18,55,746 કેસ નોંધાયા છે. જેમાંથી 5,86,298 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 12,30,510 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 38,938 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 8,968 નવા કેસ નોંધાયા છે અને 266 લોકોના મોત થયા છે. જ્યારે 10,221 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,50,196 થઈ ગયો છે. તેમાંથી 1,47,324 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 15,842 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,87,030 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,009 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોના મોત થયા હતા. જ્યારે 974 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 64,585 થઈ ગયો છે. જેમાંથી 14,599 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,508 લોકોના મોત થયા છે અને 47,478 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં બીજી ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,20,00,858 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.