° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


સીબીઆઇએ જાસૂસીના મામલે સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો

17 March, 2023 11:42 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યુનિટે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી

મનીષ સિસોદિયા ફાઇલ તસવીર

મનીષ સિસોદિયા ફાઇલ તસવીર

નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટી (એએપી - આપ)ના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં સીબીઆઇએ તેમની વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કર્યો છે. આ કેસ ફીડબૅક યુનિટ દ્વારા જાસૂસી કરવાના સંબંધમાં છે. ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિસોદિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની અને તપાસ કરવાની સીબીઆઇને મંજૂરી આપી હતી. 

વાસ્તવમાં દિલ્હી સરકારમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ મનીષ સિસોદિયાની પાસે હતું, જેમાં સીક્રેટ સર્વિસ ખર્ચ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈની સાથે ૨૦૧૬માં આ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે એમાં ૨૦ અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી. આ યુનિટે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી. આ યુનિટે ન ફક્ત બીજેપીના, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નજર રાખી હતી. 

સીબીઆઇએ એના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં આરોપ મૂક્યો છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૨૦૧૫માં એક કૅબિનેટ મીટિંગમાં આ યુનિટ સ્થાપવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે કોઈ એજન્ડા-નૉટ સર્ક્યુલેટ કરવામાં નહોતી આવી. વળી, ફીડબૅક યુનિટમાં નિમણૂક માટે ઉપરાજ્યપાલ તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી.

કેજરીવાલે નવા કેસ વિશે કહ્યું હતું કે ‘મનીષની વિરુદ્ધ અનેક ખોટા કેસ દાખલ કરીને તેમને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાનો પીએમનો પ્લાન છે. દેશ માટે આ દુઃખની બાબત છે.’

17 March, 2023 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર

લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.

24 March, 2023 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

24 March, 2023 11:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.

24 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK