Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમર્જન્સી ડોર એમપી તેજસ્વીએ ખોલી નાખ્યો હતો?

ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમર્જન્સી ડોર એમપી તેજસ્વીએ ખોલી નાખ્યો હતો?

18 January, 2023 12:51 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફ્લાઇટ ચેન્નઈથી તિરુવનંતપુરમ માટેની હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવી દિલ્હી : ફ્લાઇટને સંબંધિત વધુ એક ડરામણી ઘટનાની વિગતો આવી છે. ગયા વર્ષે ૧૦ ડિસેમ્બરે ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એક પૅસેન્જરે પ્લેનનો ઇમર્જન્સી ડોર ખોલી નાખતાં ડરનો માહોલ સર્જાયો હતો. આ ફ્લાઇટ ચેન્નઈથી તિરુવનંતપુરમ માટેની હતી. એ પછી તરત જ ઇન્ડિગો 6E-7339 ફ્લાઇટે પ્રેસરાઇઝેશન ચેકિંગ બાદ ઉડાન ભરી હતી. ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન)એ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો:  ઇન્ડિગોને દેશની ખરાબ ઍરલાઇન્સ કહી રાણા દગુબટ્ટીએ



સત્તાવાર રીતે આ પૅસેન્જરનું નામ જણાવવામાં આવ્યું નથી. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બૅન્ગલોરના સંસદસભ્ય તેજસ્વી સૂર્યાએ જ ચેન્નઈ ઍરપોર્ટ પર ઇમર્જન્સી એક્ઝિટ ડોર ખોલ્યો હતો. એક સાક્ષીને ટાંકીને આ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે તેજસ્વી સૂર્યા પાસેથી માફી મગાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 12:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK