Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પૂંછની ધરતી પરથી અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી

પૂંછની ધરતી પરથી અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી

Published : 31 May, 2025 08:03 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની હુમલાનો ભોગ બનેલા ગુરુદ્વારામાં નમાવ્યું શીશ, પીડિત પરિવારોને મળ્યા

ગઈ કાલે પૂંછમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ કરતા અમિત શાહ

ગઈ કાલે પૂંછમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ કરતા અમિત શાહ


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસના બીજા દિવસે તેઓ પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત પીડિતોને મળ્યા હતા. પૂંછથી પાકિસ્તાનને કડક સંદેશ આપતાં અમિત શાહે પાકિસ્તાન દ્વારા હુમલો કરાયેલા ગુરુદ્વારામાં પણ શીશ નમાવ્યું હતું.



પાકિસ્તાની હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને નોકરીનો અપૉઇન્ટમેન્ટ લેટર આપતા અમિત શાહ


પૂંછના આ સૌથી જૂના ગુરુદ્વારાનું નામ શ્રી ગુરુ સિંહ સભા છે જે LoCની નજીક છે. અમિત શાહે પૂંછની ધરતી પરથી પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતાં નથી. ભારત કોઈ પણ પ્રકારના હુમલાને સહન કરશે નહીં. આનો સચોટ અને વધુ મજબૂત જવાબ આપવામાં આવશે અને આપણાં દળોએ એવું જ કર્યું છે. પૂંછમાં ઘણા લોકોનાં ઘરોને નુકસાન થયું છે. લોકોના વ્યવસાયોને નુકસાન થયું છે. જમ્મુ અને કાશ્મીર સરકારે આવા લોકોને મદદ કરી છે અને હવે ભારત સરકાર તેમના માટે પૅકેજ પણ લાવશે.’

અમિત શાહે પૂંછના પીડિત પરિવારોને પણ મળ્યા અને તેમને રોજગાર નિમણૂક પત્રો સોંપ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 08:03 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK