Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘યાસ’થી થયેલું નુકસાન જાણવા ગૃહ મંત્રાલયની ટીમ બંગાળ જશે

‘યાસ’થી થયેલું નુકસાન જાણવા ગૃહ મંત્રાલયની ટીમ બંગાળ જશે

07 June, 2021 02:33 PM IST | New Delhi
Agency

મે મહિનાના અંતમાં પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા વાવાઝોડા ‘યાસ’ની અસરનો અભ્યાસ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક ટીમને ત્રણ દિવસના પ્રવાસે મોકલશે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે


મે મહિનાના અંતમાં પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા વાવાઝોડા ‘યાસ’ની અસરનો અભ્યાસ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક ટીમને ત્રણ દિવસના પ્રવાસે મોકલશે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. 

જૉઇન્ટ ડિરેક્ટર-લેવલના અધિકારી સહિતની આ ટીમ નાબન્નામાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મુલાકાત યોજશે તથા દક્ષિણ ૨૪ પરગણા અને પૂર્વીય મિદનાપોરમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત લેશે.



મમતા બૅનરજીના જણાવ્યા મુજબ બંગાળમાં આશરે 2.21 લાખ હેક્ટર જમીનના પાકને વાવાઝોડાંથી નુકસાન થયું છે. તેમણે કેન્દ્ર પાસે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાય માગી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2021 02:33 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK