મુશ્તાક છાયા જમ્મુ અને કાશ્મીરના અગ્રણી હોટેલિયર અને બિઝનેસ ટાયકૂન છે
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનો ચોંકાવનારો ઘટસ્ફોટ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૬ વર્ષમાં કાશ્મીરમાં લગભગ ૫૦૦૦ હોટેલ બાંધવામાં આવી છે જેમાંથી ૯૦ ટકા ગેરકાયદેસર છે. શ્રીનગરમાં એક ટૂરિઝમ કૉન્ક્લેવમાં બોલતાં મનોજ સિંહાએ જણાવ્યું હતું કે ‘હું તમારી સાથે એક નંબર શૅર કરવા માગું છું. ૨૦૨૧થી ૨૦૨૪-’૨૫ના મધ્ય સુધી કાશ્મીર ખીણ પ્રદેશમાં પાંચ હજારથી વધુ હોટેલ બનાવવામાં આવી હતી. એ સાચું છે કે એમાંથી 90 ટકા ગેરકાયદેસર છે, ફક્ત ૧૦ ટકા કાયદેસર છે. એમાં (હોટેલિયર) મુશ્તાક છાયાની રૅડિસનનો પણ સમાવેશ થાય છે. કેટલીક હોટેલો ૨૦૦ કરોડ રૂપિયાની છે તો કેટલીક ૧૦ કરોડ રૂપિયાની છે, પરંતુ સરેરાશ પ્રતિ હોટેલ ૧૫ કરોડ રૂપિયા અથવા લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા (કુલ)નું રોકાણ છે.’
મુશ્તાક છાયા જમ્મુ અને કાશ્મીરના અગ્રણી હોટેલિયર અને બિઝનેસ ટાયકૂન છે. તેઓ જમ્મુ અૅન્ડ કાશ્મીર હોટેલિયર્સ ક્લબના પ્રમુખ પણ છે અને કૉન્ક્લેવમાં પ્રેક્ષકોમાં ઉપસ્થિત હતા જ્યાં તેમની હોટેલ રૅડિસનને ૧૦ ટકા કાયદેસર હોટેલમાં સમાવવામાં આવી હતી.
