Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૭૫૪ વિમાનોની તપાસમાં ૫૦ ટકા પ્લેનમાં ખામી દેખાઈ

૭૫૪ વિમાનોની તપાસમાં ૫૦ ટકા પ્લેનમાં ખામી દેખાઈ

Published : 07 February, 2026 11:18 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગો ટોચ પર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતીય ઍરલાઇન્સનાં વિમાનોમાં ટેક્નિકલ ખામી માટે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે અડધાથી વધારે વિમાનોમાં વારંવાર ખામી મળી આવી છે. વળી જે ઍરલાઇન્સનાં વિમાનોમાં વધારે ખામી જોવા મળી છે એમાં ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો ઍરલાઇન્સનો સૌથી વધારે હિસ્સો છે.

આ સંદર્ભમાં ગુરુવારે લોકસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી ૬ શેડ્યુલ્ડ ઍરલાઇન્સનાં ૭૫૪ વિમાનોમાં વારંવાર આવતી ખામીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમાંથી ૩૭૭ વિમાનોમાં વારંવાર ખામી જોવા મળી હતી.



ઇન્ડિગોનાં વિમાનોની સૌથી વધારે સમીક્ષા કરવામાં આવી હતી. આ મુદ્દે નાગરી ઉડ્ડયન રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૩ ફેબ્રુઆરી સુધીમાં ઇન્ડિગોનાં ૪૦૫ વિમાનોની તપાસ કરવામાં આવી હતી અને ૧૪૮માં વારંવાર ખામી જોવા મળી હતી.


ઍર ઇન્ડિયા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસનાં ૨૬૭ વિમાનોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૯૧ વિમાનોમાં વારંવાર ખામી જોવા મળી હતી, જે ઑડિટ કરાયાની લગભગ ૭૨ ટકા જેટલી થવા જાય છે.

ડેટાથી જાણકારી મળી છે કે ઍર ઇન્ડિયાનાં ૧૬૬માંથી ૧૩૭ વિમાનોમાં વારંવાર ખામી સર્જાય છે. ઍર ઇન્ડિયા એક્સપ્રેસનાં ૧૦૧ વિમાનોમાંથી ૫૪માં વારંવાર આવી સમસ્યા જોવા મળી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 11:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK