નાંદેડના ભાજપના ધારાસભ્ય રાજેશ પવારની એક લક્ઝરી એસયુવી કાર ગુરુવારે સવારે દાદર રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર ખાતે પાર્ક કરવામાં આવી હતી, જેને લીધે ઘણા કલાકો સુધી રસ્તો અવરોધિત થયો હતો. આ ગેરકાયદેસર પાર્કિંગ સામે ઘણા મુસાફરોએ આક્રોશ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટ
મુંબઈમાં ભીડ અને ટ્રાફિકની સમસ્યા પહેલાથી જ વધારે છે. આ સાથે જાહેર જગ્યાએ ગેરકાયદેસર પાર્કિંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જોકે આ પ્રણામે પ્રમાણે ખોટી રીતે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. પણ તે માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય છે કે શું? અને મંત્રીઓ અને સરકારી અધિકારીઓને તેમાંથી શું છૂટ આપવામાં આવી છે? એવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. તાજેતરમાં પણ મુંબઈના સૌથી ભીડવાળા દાદર રેલવે સ્ટેશનની બહાર આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો, જેને લઈને લોકોના આક્રોશ બાદ પ્રશાસ ઊભું થયું હોવાનું જોવા મળ્યું હતું.
નાંદેડના ભાજપના ધારાસભ્ય રાજેશ પવારની એક લક્ઝરી એસયુવી કાર ગુરુવારે સવારે દાદર રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર ખાતે પાર્ક કરવામાં આવી હતી, જેને લીધે ઘણા કલાકો સુધી રસ્તો અવરોધિત થયો હતો. આ ગેરકાયદેસર પાર્કિંગ સામે ઘણા મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરી તેની આકરી ટીકા કરી હતી. ઘટનાના સાક્ષી રહેલા નાગરિક અજિત રાણેએ જણાવ્યું હતું કે લેન્ડ રોવર ડિફેન્ડર કાર સવારે 9 વાગ્યાથી સ્ટેશનની બહાર બેસ્ટ બસ સ્ટોપ પાસે ઊભી રાખવામાં આવી હતી. ડ્યુટી પર રહેલા બેસ્ટ કંડક્ટરના જણાવ્યા અનુસાર, સામાન્ય મુસાફરોને બસની રાહ જોતી વખતે સ્ટેશનના આશ્રય હેઠળ ઊભા રહેવાની મંજૂરી નથી, ભલે તે સખત તડકામાં હોય કે વરસાદમાં પણ હોય.
ADVERTISEMENT
"જો કોઈ સામાન્ય માણસની કાર ત્યાં પાર્ક કરવામાં આવી હોત, તો તેને થોડીવારમાં દંડ કરવામાં આવતો અથવા તેને ટો કરી લેવામાં આવે છે," રાણેએ કહ્યું. "પરંતુ જ્યારે પ્રભાવશાળી લોકોની વાત આવે છે, ત્યારે નિયમો અચાનક લાગુ પડતા નથી," તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. નજીકમાં ટ્રાફિક પોલીસ ચોકી હોવા છતાં, અધિકારીઓએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેઓ જાણતા નથી કે વાહન કોના માલિકનું છે. જ્યારે તેમને વાહન ટો કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે પૂરતી મોટી કોઈ ટોઇંગ વાન ઉપલબ્ધ નથી.
પાછળથી, જ્યારે ડ્રાઈવર આવ્યો, ત્યારે રાણેએ તેનો સામનો કર્યો અને જાણ્યું કે કાર ધારાસભ્ય રાજેશ પવારની છે. એક વરિષ્ઠ ટ્રાફિક અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ વાહનની વિગતો આખરે મેળવવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો. "આ જ વાત સામાન્ય નાગરિકોને હતાશ કરે છે," રાણેએ ઉમેર્યું. "રાજકારણીઓ અને તેમના સહયોગીઓ કાયદાનો ભંગ કરે છે, જ્યારે પોલીસ ઘણીવાર બીજી રીતે જુએ છે. જે અધિકારીઓ લોકો પર કડક નિયમો લાગુ કરે છે તેઓ શક્તિશાળી લોકો સંડોવાયેલા હોય ત્યારે ખચકાટ અનુભવે છે." રાણેએ કહ્યું કે તેમણે કાયદાના અમલીકરણમાં ‘બેવડા ધોરણો’ તરીકે ઓળખાતા મુદ્દાઓને પ્રકાશિત કરવા અને નાગરિકોને આવા વર્તનને ચુપચાપ સહન કરવાને બદલે બોલવા વિનંતી કરવા માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો.


