Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને બધી જ બેઠકો માટે તૈયારી શરૂ કરવાનું કહ્યું

ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને બધી જ બેઠકો માટે તૈયારી શરૂ કરવાનું કહ્યું

Published : 06 August, 2025 12:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઠાકરે બંધુઓ ભેગા મળીને ચૂંટણી લડશે એવો ઇશારો સંજય રાઉતે કર્યો, પરંતુ...

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


કૉર્પોરેશનની ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થશે કે કેમ એ વાત પર છેલ્લા થોડા મહિનાઓથી અનેક અટકળો ચાલી રહી છે ત્યારે શિવસેના (UBT)ના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે નવો મમરો મૂકતાં કહ્યું હતું કે શિવસેના-UBT અને MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ચોક્કસપણે સાથે મળીને કૉર્પોરેશનની ચૂંટણી લડશે. જોકે સંજય રાઉતે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે ઠાકરે બંધુઓ ભેગા મળીને આ મુદ્દે ચર્ચા કરશે એ પછી અંતિમ નિર્ણય લેવાશે.

બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકરોને ચોખ્ખું જણાવી દીધું છે કે MNS સાથે મળીને ચૂંટણી લડવી કે નહીં એ અંગે પાર્ટી નિર્ણય લેશે, તમે દરેક બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી ચાલુ કરો. જ્યાં શાખાપ્રમુખ ન હોય ત્યાં નિમણૂક કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. અગાઉ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે કે શિવસેનાના સ્થાપનાદિને બન્ને પક્ષ ભેગા થાય એવી અટકળો હતી. હવે ૧૫ ઑગસ્ટ સુધી યુતિની જાહેરાત થાય એવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK