Thane: આજે સવારે થાણેના વાગલે એસ્ટેટમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી; સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં
તસવીરઃ આરડીએમસી
થાણે (Thane)માં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે જિલ્લાના વાગલે એસ્ટેટ (Wagle Estate) વિસ્તારમાં એક કોમર્શિયલ ઇમારતમાં આગ લાગી હતી, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના મામલે વધુ તપાસ ચાલી રહી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation - TMC)ના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Regional Disaster Management Cell - RDMC) ના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ૧૧ વાગ્યે એક કંપનીની ઓફિસમાં આગ લાગી હતી, જે એક કોમર્શિયલ બહુમાળી ઇમારત છે.
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું કે, થાણેના વાગલે એસ્ટેટના નેહરુ નગર (Nehru Nagar) વિસ્તારમાં રોડ નંબર 16 પર લોટસ પાર્ક (Lotus Park) નજીક સેન્ટ્રમ બિઝનેસ સ્ક્વેર (Centrum Business Square)ના બીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
RDMC એ જણાવ્યું હતું કે, વાગલે ફાયર સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને કરવામાં આવી હતી અને એલર્ટ મળતાં જ અનેક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સ્ટાફ (બે પિકઅપ વાહનો સાથે) ઘટનાસ્થળે દોડી ગયા હતા અને થાણે ફાયર બ્રિગેડના અધિકારીઓ બે ફાયર એન્જિન અને ૧ હાઇરાઇઝ ફાયર વાહન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી.
અગ્નિશામકો અને આપત્તિ વ્યવસ્થાપન કર્મચારીઓએ સાથે મળીને કામ કર્યું અને લગભગ બે કલાકની મહેનત પછી આગને સંપૂર્ણપણે ઓલવવામાં સફળ રહ્યા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આગને કાબુમાં લેવામાં આવી હતી અને તેને ફેલાતી અટકાવવામાં આવી હતી. આગનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કાંદિવલી સિલિન્ડર બ્લાસ્ટમાં બે જણના જીવ ગયા
બુધવારે ૨૪ સપ્ટેમ્બરે કાંદિવલી-ઈસ્ટના મિલિટરી રોડ પર રામ કિસન મેસ્ત્રી ચાલમાં આવેલી એક દુકાનમાં ગૅસનું સિલિન્ડર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પાંચ મહિલાઓ અને એક પુરુષ ગંભીર રીતે દાઝી ગયાં હતાં, એમાંથી ગઈ કાલ સુધીમાં બે લોકોએ શ્વાસ છોડ્યો હતો. ૮૫ ટકા દાઝી ગયેલાં ૪૭ વર્ષનાં રક્ષા જોશીનું રવિવારે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. એના થોડા કલાકો પછી ૩૦ વર્ષનાં પૂનમ ગુપ્તાએ પણ દમ તોડી દીધો હતો. ઐરોલીના નૅશનલ બર્ન્સ સેન્ટરમાં બન્નેની સારવાર ચાલી રહી હતી. વિસ્ફોટ થયો એ દુકાનમાં કેટરિંગનો બિઝનેસ કરતાં શિવાની ગાંધી ઉપરાંત નીતુ ગુપ્તા, જાનકી ગુપ્તા અને દુર્ગાવતી ગુપ્તા હજી ગંભીર છે. ૪૦ ટકા જેટલા દાઝી જનારા પંચાવન વર્ષના મનારામ કુમાવત પણ હજી હૉસ્પિટલમાં છે અને સ્ટેબલ છે.


