હિમાંશી મહેતાના બે ભાઈઓ પણ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે: આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે મુંબઈના ૧૨ સહિત ૩૫ મુમુક્ષુઓએ અમદાવાદમાં દીક્ષા લીધી
ભાઈંદરનો શાહપરિવાર દીક્ષા લેતાં પહેલાં.
મુંબઈમાં રહેતા ૧૨ મુમુક્ષુઓ સહિત કુલ ૩૫ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ગઈ કાલે અમદાવાદમાં યોજાયો હતો, જેમાં મુંબઈના ભાઈંદરમાં રહેતી શાહ ફૅમિલીના છ સભ્યોએ એકસાથે અમદાવાદમાં સંયમમાર્ગ અપનાવીને આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લેનારાં ભાઈંદરના જસવંતભાઈ અને દીપિકાબહેનની દીકરી હિમાંશી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પ્રાઉડ ફીલ થાય છે કે હું તેમની દીકરી છું. મારાં મમ્મી-પપ્પા સાથે અંકલ, આન્ટી અને કઝિન્સે સંયમમાર્ગ અપનાવ્યો છે એનાથી મને ખુશી થઈ છે. મેં જ્યારે દીક્ષા માટેની ટ્રેઇનિંગ લીધી ત્યારે હૅપીનેસની ડેફિનેશનની મને ખબર પડી અને મારું જીવન બદલાયું છે.’