Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેની મશાલ બદલવામાં આવી

ઉદ્ધવ ઠાકરેની મશાલ બદલવામાં આવી

Published : 20 October, 2024 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મશાલમાં આગની જ્વાળા ઉપરની તરફ કરવામાં આવી છે તેમ જ મશાલની પાછળનું ભગવા રંગનું સર્કલ પણ દૂર કરવામાં આવ્યું છે.

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT પક્ષ મશાલ ચૂંટણીચિહ્ન

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT પક્ષ મશાલ ચૂંટણીચિહ્ન


શિવસેનામાં ભાગલા પડ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી કમિશને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન એકનાથ શિંદે જૂથને ફાળવ્યાં હતાં અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT પક્ષને મશાલ ચૂંટણીચિહ્ન ફાળવ્યું હતું. આ ચિહ્ન પરથી જ શિવસેના(UBT)એ લોકસભાની ચૂંટણી લડી હતી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે શિવસેેના(UBT)ની મશાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની મશાલ આઇસક્રીમના કૉન જેવી દેખાતી હતી એટલે શિવેસાના(UBT)ના નેતા અને કાર્યકરોએ એમાં બદલાવ કરવાની માગણી કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ 
કરી હતી. આથી મશાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી મશાલમાં આગની જ્વાળા ઉપરની તરફ કરવામાં આવી છે તેમ જ મશાલની પાછળનું ભગવા રંગનું સર્કલ પણ દૂર કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK