ઠાકરેની વિનંતી છતાં, રિપોર્ટર ખાનગી વાતચીતમાં વિક્ષેપ પાડવાનું શરૂ રાખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દરમિયાન રિપોર્ટર ઠાકરેને પૂછે છે કે "મરાઠા ગૌરવના નામે લોકોને માર મારવો વાજબી છે?" રિપોર્ટરને પૂછતા સાંભળી શકાય છે.”
આદિત્ય ઠાકરે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય નાગરિક ચૂંટણીઓ માટે પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં MNS-શિવસેના (UBT) ગઠબંધન અને BJP-શિવસેના ગઠબંધન વચ્ચે ભારે જંગ જોવા મળી રહી છે. મતદાન 15 જાન્યુઆરીએ થશે, જ્યારે મતગણતરી 16 જાન્યુઆરીએ થવાની છે. શિવસેના (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે શુક્રવારે એક ટેલિવિઝન ચૅનલની મહિલા રિપોર્ટર પર ગુસ્સો કરતાં જોવા મળ્યા હતા. અહેવાલ મુજબ ઠાકરેને પૂછવામાં આવ્યું હતું કે શું મરાઠા ગૌરવના નામે લોકોને માર મારવો વાજબી છે? ત્યારે તે ભડકી ગયા. આ ઘટના મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) માં INS ટાવર્સ ખાતે બની હતી. આ ઘટનાનો એક વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં આદિત્ય ઠાકરે એક વરિષ્ઠ એડિટર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટર તેમની પાસે પ્રશ્ન પૂછવા જાય છે ત્યારે ઠાકરે તેને નમ્રતાપૂર્વક કહે છે કે તેઓ ખાનગી વાતચીત કરી રહ્યા છે અને તમે ગૌરવપૂર્ણ વર્તન કરો અને ખાનગી વાતચીતમાં ન જાઓ એમ કહી રહ્યા છે.
ઠાકરેની વિનંતી છતાં, રિપોર્ટર ખાનગી વાતચીતમાં વિક્ષેપ પાડવાનું શરૂ રાખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દરમિયાન રિપોર્ટર ઠાકરેને પૂછે છે કે "મરાઠા ગૌરવના નામે લોકોને માર મારવો વાજબી છે?" રિપોર્ટરને પૂછતા સાંભળી શકાય છે.” આ વાત પછી, આદિત્ય ઠાકરે ગુસ્સો થઈ ગયા અને રિપોર્ટરને વળતો પ્રહાર કરતાં જોવા મળી રહ્યા છે કે, "આ કેવું વર્તન છે? આ કેવું ગુનાહિત વર્તન છે?" ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાના માત્ર બે કલાકમાં જ આ વીડિયોને 20.2 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. દરમિયાન, 11 જાન્યુઆરીએ શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા એક સંયુક્ત રૅલીમાં મોટી ભીડ આવે તેવી અને રાજ્યવ્યાપી ધ્યાન આકર્ષિત થવાની અપેક્ષા છે, જે ગઠબંધનની તાકાત દર્શાવે છે. બીજા દિવસે, શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ દ્વારા અલગ અલગ રૅલીઓ સમર્થકોને એકત્રિત કરવાની તેમની ક્ષમતાનું પરીક્ષણ કરશે, જેનાથી શિવાજી પાર્ક મુંબઈના સૌથી નજીકથી જોવાયેલા નાગરિક સ્પર્ધા માટે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જશે. મુંબઈના 227 વોર્ડમાં 15 જાન્યુઆરીએ BMC ચૂંટણીઓ એક જ તબક્કામાં થવાની છે, અને મતગણતરી અને પરિણામો 16 જાન્યુઆરીએ યોજાવાની છે.
ADVERTISEMENT
View this post on Instagram
૧૫ જાન્યુઆરીએ મતદાનને પ્રોત્સાહન આપવા રજા જાહેર
રાજ્યમાં ૧૫ જાન્યુઆરીએ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી યોજાશે. એ દિવસે મોટી સંખ્યામાં નાગરિકો મતદાન કરી શકે એ માટે તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં જાહેર રજા આપવામાં આવી છે. મુંબઈ સહિત રાજ્યનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં કામદારો, કર્મચારીઓ અને સરકારી તથા અર્ધસરકારી સ્થળોએ કામ કરતા લોકોને મતદાનના દિવસે રજા આપવામાં આવી છે. આ બાબતનો પરિપત્ર રાજ્યના તમામ વિભાગોની સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, કૉર્પોરેશનો, બોર્ડ વગેરેને મોકલવામાં આવ્યો છે. આ રજા ૨૦૨૬ની કુલ ૨૪ જાહેર રજાઓ ઉપરાંત વધારાની રજા ગણવામાં આવશે. બૅન્કમાં રજા અંગે હજી સુધી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.


