Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારે કેન્દ્રની ઝેડ પ્લસ સિક્યૉરિટી કેમ નકારી દીધી?

શરદ પવારે કેન્દ્રની ઝેડ પ્લસ સિક્યૉરિટી કેમ નકારી દીધી?

Published : 31 August, 2024 07:12 AM | Modified : 31 August, 2024 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ગઈ કાલે નકારી દીધી હતી

શરદ પવાર

શરદ પવાર


કેન્દ્ર સરકારે શરદ પવારને જોખમ હોવાનું માનીને ગયા અઠવાડિયે તેમને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો હતો. જોકે શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ગઈ કાલે નકારી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાનની ઑફિસમાંથી મને જાણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ગૃહપ્રધાન અમિત શાહ અને મને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મેં આવી સિક્યૉરિટી ન લેવાનું કહ્યું હતું.’ કેન્દ્ર સરકારે પોતાને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો હોવા વિશે શરદ પવારે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે આવી સિક્યૉરિટી આપીને કેન્દ્ર સરકાર મારા પર નજર રાખવા માગે છે. આવી શંકાને કારણે જ શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ન લેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK