Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાપ-બેટો મુંબઈને વેચતા હતા

બાપ-બેટો મુંબઈને વેચતા હતા

02 April, 2024 08:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ વિશે કહ્યું હતું કે ‘આ માણસનું ખસકી ગયું છે.

સંજય રાઉત

સંજય રાઉત


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત કરી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે વડા પ્રધાનની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ મુંબઈ અદાણીને વેચવા માટે વારંવાર અહીંની મુલાકાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિંધુદુર્ગના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ વિશે કહ્યું હતું કે ‘આ માણસનું ખસકી ગયું છે. વડા પ્રધાનની લોકપ્રિયતા આ લોકોને ખૂંચે છે એટલે તેઓ સતત તેમની ટીકા કરી રહ્યા છે. દિલ્હીની મા-બેટાની સરકાર ભારત દેશને અને બાપ-બેટો મુંબઈને વેચી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? તમે વડા પ્રધાનની મુંબઈની મુલાકાતનો ખર્ચ માગો છો, પણ એનો હિસાબ તમને ચૂંટણીપંચ પાસેથી મળી જશે. ઉદ્ધવ ઠાકરે રવિવારે દિલ્હી ગયા હતા એમાં કેટલો ખર્ચ થયો હતો એની માહિતી પહેલાં આપો, પછી બીજાનો હિસાબ માગો. જેણે ગ્રામપંચાયત તો શું સરપંચની ચૂંટણી ક્યારેય લડી નથી તે આચારસંહિતાની વાત કરે એનાથી મોટી મજાક શું હોય?’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK