Pre-Marital Counseling Centers to be launched in Mumbai: કૌટુંબિક વિવાદો અને છૂટાછેડાની વધતી સંખ્યાને સંબોધવા માટે, `ઇન્ટરનેશનલ વિમન્સ ડે` ના દિવસે `તેરે મેરે સપને` નામના `પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ` (pre-marital counseling) કેન્દ્રો શરૂ કરાશે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મુંબઈમાં લગ્ન પહેલાના કાઉન્સેલિંગ માટે ‘તેરે મેરે સપને’ કેન્દ્રો શરૂ થશે
- છૂટાછેડા અને કૌટુંબિક વિવાદો ઘટાડવા માટે નવી પહેલ કહી શકાય
- વિલે પાર્લે, પરેલ અને બોરીવલીમાં ખુલશે કેન્દ્રો
કૌટુંબિક વિવાદો (family disputes) અને છૂટાછેડાની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને `ઇન્ટરનેશનલ વુમન્સ ડે ૨૦૨૫` ના દિવસે મુંબઈમાં `તેરે મેરે સપને` નામના `પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ` (pre-marital counseling) કેન્દ્રો શરૂ કરવામાં આવશે. એક સત્તાવાર નિવેદન મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)ના માર્ગદર્શન હેઠળ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના સહયોગથી ભારતીય સ્ત્રી શક્તિ મુંબઈમાં ત્રણ `પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ` કેન્દ્રો શરૂ કરી રહી છે. આ કેન્દ્રોનું ઉદ્ઘાટન 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women`s Day) પર કરવામાં આવશે. દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક વૈશ્વિક દિવસ છે જ્યારે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે.
પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રો
ADVERTISEMENT
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેના જીવનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે. જોકે, આજે ફેમિલી કોર્ટમાં કૌટુંબિક વિવાદો અને છૂટાછેડાની વધતી સંખ્યા ચિંતાનું કારણ છે. આ મુદ્દાને ઉકેલવા માટે લગ્ન પહેલાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે `પ્રી-મેરિટલ કૌટુંબિક સંવાદ કેન્દ્ર`ની તાત્કાલિક જરૂર જણાઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયાતાઈ રહાતકરે દેશભરમાં આવા `પ્રી-મેરેજ ફેમિલી ડાયલૉગ સેન્ટર` (Pre-marital Family Dialogue Center) શરૂ કરવાની પહેલ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ભારતીય સ્ત્રી શક્તિ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મુંબઈમાં ત્રણ સ્થળોએ પરેલ, વિલે પાર્લે અને બોરીવલી ખાતે `પ્રી-મેરેજ ડાયલૉગ` સેન્ટર શરૂ કરાશે. સંસ્થાના અધિકારી સીમા દેશપાંડેએ જણાવ્યું હતું કે ભારતીય સ્ત્રી શક્તિ 1988 થી મહિલાઓ અને પરિવારોના સશક્તિકરણ માટે કામ કરી રહી છે. ભારતીય સ્ત્રી શક્તિ હેઠળ, `ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર` અને `પ્રી-મેરેજ ગાઇડન્સ વર્કશોપ` (Pre-marital Guidance Workshops) જેવી ઘણી પહેલ કરવામાં આવે છે.
ક્યાં ખુલશે આ કેન્દ્રો?
`પ્રી-મેરેજ ફેમિલી ડાયલૉગ સેન્ટર્સ` (પ્રી-મેરેજ ફેમિલી સંવાદ કેન્દ્ર) તરીકે ઓળખાતા આ સેન્ટરો પરેલ, વિલે પાર્લે અને બોરીવલીમાં સ્થિત હશે. આ સેન્ટરોનો ઉદ્દેશ્ય લગ્ન પહેલાં યુગલોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો છે, જેનાથી તેઓ તેમના સંબંધોને મજબૂત બનાવી શકે અને ભવિષ્યમાં લગ્નજીવનની સમસ્યાઓ ટાળી શકે. આ પહેલનું નેતૃત્વ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયાતાઈ રહાતકર કરી રહ્યા છે, જેમણે દેશભરમાં આવા ઘણા કેન્દ્રો શરૂ કરવા માટે પગલાં લીધા છે. ૧૯૮૮થી મહિલાઓ અને પરિવારોના સશક્તિકરણ માટે સમર્પિત સંસ્થા, ભારતીય સ્ત્રી શક્તિ આ કેન્દ્રો ચલાવશે. ભારતીય સ્ત્રી શક્તિના અધિકારી સીમા દેશપાંડે પરિવારો મદદ કરવા માટે `ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર્સ` (Family Counseling Centers) અને `પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ સેન્ટર્સ` જેવી વિવિધ પહેલો હાથ ધરશે.

