Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઓવરક્રાઉડેડ એસી લોકલ મીરા રોડથી દરવાજો ખુલ્લો હોવા છતાં દોડવા માંડી

ઓવરક્રાઉડેડ એસી લોકલ મીરા રોડથી દરવાજો ખુલ્લો હોવા છતાં દોડવા માંડી

24 March, 2023 10:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહિસર ખાતે પૅસેન્જરોએ દરવાજો ઍડ્જસ્ટ કરીને બંધ કરતાં ત્યાર બાદ એ ફરી આપોઆપ બંધ થઈ રહ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વિરારથી ચર્ચગેટ જતી એસી લોકલ ટ્રેનમાં ગઈ કાલે ટેક્નિકલ ખામી આવતાં એનો એક દરવાજો ખુલ્લો હોવા છતાં એ ચાલુ થઈ ગઈ હતી.

ખામીયુક્ત એસી લોકલનો વિડિયો શૂટ કરનારા એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘આ ઘટના સવારે ૭.૫૬ વાગ્યાની વિરાર-ચર્ચગેટ ટ્રેનમાં મીરા રોડ સ્ટેશને બની હતી. જોકે દહિસર ખાતે પૅસેન્જરોએ દરવાજો ઍડ્જસ્ટ કરીને બંધ કરતાં ત્યાર બાદ એ ફરી આપોઆપ બંધ થઈ રહ્યો હતો. ત્યાર બાદ ટ્રેનમાં ટેક્નિકલ સ્ટાફ સાથે એક એક્ઝામિનર ટ્રેનમાં ચડ્યો હતો તથા દાદરમાં ભૂલ સુધારી લેવાઈ હતી. મીરા રોડ સ્ટેશને ઉતારુઓ દ્વારા દરવાજો અવરોધાવાને કારણે આ ખામી સર્જાઈ હોવાનું જણાવીને પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિતકુમારે મુસાફરોને દરવાજો ન અવરોધાય એનું ધ્યાન રાખી ટ્રેનમાં ચડવાની વિનંતી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK