રાઉતે આ નિવેદન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતાં. જેથી પત્રકારોએ તેમને આ સવાલ કર્યો હતો.
સંજય રાઉત (ફાઈલ ફોટો)
શિવસેના સાંસદ અને નેતા સંજય રાઉત (Sanjay Raut) તેમના હાજર જવાબો માટે જાણીતા છે. જ્યારે તેમને એ સવાલ પૂછવામાં આવ્યો કે તેઓ માસ્ક કેમ નથી પહેરતા? આ સવાલનો હાજર જવાબ આપતાં તેમણે કહ્યું કે હું આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરું છું. રાઉતે આ નિવેદન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતાં. જેથી પત્રકારોએ તેમને આ સવાલ કર્યો હતો.
સંજય રાઉતે કહ્યું કે, `વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને હંમેશા માસ્ક પહેરવાની અપીલ કરે છે. પરંતુ તે પોતે તેનું પાલન કરતા નથી. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ માસ્ક પહેરે છે પરંતુ નરેન્દ્ર મોદી નથી પહેરતા. મોદી રાષ્ટ્રના નેતા છે, તેથી જ હું તેમને અનુસરું છું, તેઓ માસ્ક પહેરતા નથી, તેથી હું પણ નથી પહેરતો. જોકે, સંજય રાઉતે સામાન્ય લોકોને જાહેર સ્થળો અને કાર્યક્રમોમાં હાજર રહીને માસ્ક પહેરવાની વિનંતી કરી છે.`
ADVERTISEMENT
કોરોના ઝડપથી વધી રહ્યો છે
દેશની આર્થિક રાજધાની મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રના ઘણા દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુપ્રિયા સુલે, વર્ષા ગાયકવાડ, બાળાસાહેબ થોરાત, હર્ષવર્ધન પાટીલ જેવા ઘણા નેતાઓ હાલમાં કોરોનાની ઝપેટમાં છે. આ તમામ લોકોએ અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાની સંભાળ રાખે અને કોરોના ટેસ્ટ કરાવે.
ઓમિક્રોનના દર્દીઓ વધી રહ્યા છે
મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના દર્દીઓ મુંબઈમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એક જ દિવસમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. ગુરુવારે મુંબઈમાં કોરોનાના 3,671 નવા કેસ નોંધાયા છે, જ્યારે બુધવારે 2,445 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે ગુરુવારે કોરોનાથી કોઈ મૃત્યુ થયું નથી.
ડિસેમ્બરમાં આવું સાતમી વખત બન્યું છે. BMC હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, ગુરુવારે મુંબઈમાં 46 હજાર લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. બુધવારે મુંબઈનો સકારાત્મક દર 4.84 ટકા હતો જે એક જ દિવસમાં વધીને 7.91 ટકા થઈ ગયો છે. રાજ્યમાં નવા કોરોના કેસ પણ ગુરુવારે વધીને 5,368 થઈ ગયા, જ્યારે 22ના મોત થયા. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે વધતા જતા કેસોને જોતા તેને ત્રીજી વેવ ગણાવી છે.