Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાણીતા ક્રિમિનલ લૉયર શ્રીકાંત શિવાડેનું અવસાન

જાણીતા ક્રિમિનલ લૉયર શ્રીકાંત શિવાડેનું અવસાન

Published : 20 January, 2022 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી માંદગીને કારણે અવસાન થયું હોવાનું તેમના પરિવારની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉલીવુડના અભિનેતા સલમાન ખાનના હિટ ઍન્ડ રન કેસ અને શાઇની આહુજાને સંડોવતા બળાત્કાર જેવા હાઈ પ્રોફાઇલ કેસ લડનાર અને ટૂ-જી સ્પેક્ટ્રમ કેસમાં બે આરોપીઓનું પ્રતિનિધિત્વ કરનારા જાણીતા 
ફોજદારી વકીલ શ્રીકાંત શિવાડેનું ૬૭ વર્ષની વયે ગઈ કાલે મહારાષ્ટ્રની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી માંદગીને કારણે અવસાન થયું હોવાનું તેમના પરિવારની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું. 
શ્રીકાંત શિવાડેને લ્યુકેમિયા (બ્લડ-કૅન્સર) હતું એમ પરિવારજનોએ જણાવ્યું હતું. ટૂ-જી સ્પેક્ટ્રમ કેસમાં બે આરોપીઓનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત તેઓ શીના બોરા હત્યાકેસમાં પીટર મુખરજી માટે પણ કેસ લડ્યા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્ર, પુત્રી અને તેમનાં મમ્મી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK