Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકચોર ધારીને ટોળાએ ૪ સાધુઓને ઘેરી લીધા, પોલીસે બચાવ્યા

ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકચોર ધારીને ટોળાએ ૪ સાધુઓને ઘેરી લીધા, પોલીસે બચાવ્યા

Published : 24 June, 2026 08:48 AM | Modified : 24 June, 2026 09:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાધુઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા પછી ખબર પડી હતી કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના છે અને ત્યાંના મઠમાં રહે છે.

દુર્ગાનગરમાં સાધુની થયેલી મારઝૂડ.

દુર્ગાનગરમાં સાધુની થયેલી મારઝૂડ.


જોગેશ્વરી-ઈસ્ટના દુર્ગાનગરમાં બાળકચોરીની આશંકા અને અફવાઓને કારણે સ્થાનિક લોકોના ટોળાએ ગઈ કાલે બપોરે ૪ સાધુઓને પકડી લીધા હતા અને તેમની સાથે ઝપાઝપી તથા મારઝૂડ કરી હતી. જોકે MIDC પોલીસને ઘટનાની માહિતી મળતાં એ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય શંકાસ્પદ વ્યક્તિઓને તાબામાં લીધી હતી જેને કારણે પાલઘર જેવી મોટી ઘટના ટળી ગઈ હતી. પાલઘર જિલ્લામાં ૨૦૨૦માં સાધુઓની ઘાતકી હુમલાની ઘટના બની હતી ત્યાર બાદ રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. સાધુઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા પછી ખબર પડી હતી કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના છે અને ત્યાંના મઠમાં રહે છે.

BMCએ વર્સોવામાં ૧૭ ગેરકાયદે દુકાનો તોડી પાડી




વર્સોવા-વેસ્ટના જે. પી. રોડ પર આવેલા આરામનગરમાં ગઈ કાલે સવારે BMC દ્વારા સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ઓપન સ્પેસનો સર્વિસ એરિયા તરીકે ઉપયોગ કરનારી, ગેરકાયદે શેડ કે આવરણો ઊભાં કરનારી અને ફુટપાથ પર અવરોધ પેદા કરનારી ૧૭ દુકાનો સામે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડતાં અને નિયમોનું ઉલ્લંઘન કરતાં ૮ જાણીતા ફૂડ-આઉટલેટ્સનાં ગેરકાયદે ડ્રેનેજ-કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK