Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮૫ વર્ષના વડીલે બસભાડામાં ૧૦૦ ટકા કન્સેશન માટે ઘંટનાદ આંદોલન કર્યું

૮૫ વર્ષના વડીલે બસભાડામાં ૧૦૦ ટકા કન્સેશન માટે ઘંટનાદ આંદોલન કર્યું

Published : 11 June, 2025 11:45 AM | Modified : 12 June, 2025 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહદ મુંબઈની હદમાં તમામ વરિષ્ઠ નાગરિકોને NMMT અને BEST બસનાં ભાડાંમાં પૂરેપૂરું કન્સેશન મળે એવી માગણી તેમણે કરી છે

૮૫ વર્ષના વડીલ અમૃતરાવ જોશી

૮૫ વર્ષના વડીલ અમૃતરાવ જોશી


નવી મુંબઈમાં રહેતા ૮૫ વર્ષના વડીલ અમૃતરાવ જોશીએ બસભાડામાં ૧૦૦ ટકા કન્સેશનની માગણી સાથે ‘ઘંટનાદ આંદોલન’ શરૂ કર્યું છે. બૃહદ મુંબઈની હદમાં તમામ વરિષ્ઠ નાગરિકોને NMMT અને BEST બસનાં ભાડાંમાં પૂરેપૂરું કન્સેશન મળે એવી માગણી તેમણે કરી છે જેના માટે નવી મુંબઈ અને પનવેલની પાલિકાની ઑફિસની બહાર તેઓ ઘંટનાદ આંદોલન કરી રહ્યા છે. સોમવાર અને મંગળવારે તેમણે નવી મુંબઈ નગરપાલિકાની કચેરી બહાર ઘંટનાદ કર્યો હતો. તેમણે અનેક વાર પાલિકાના કમિશનરને મળવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા નહોતા. બુધવારે અને ગુરુવારે પનવેલ પાલિકાની કચેરી સામે આંદોલન કરવાની તૈયારી તેમણે દર્શાવી છે. હાલમાં આધાર કાર્ડ પર દર્શાવેલા સરનામા મુજબ પાલિકાની હદમાં આવતા વરિષ્ઠ નાગરિકોને જ કન્સેશન આપવામાં આવે છે. આ આંદોલનને સજાગ નાગરિક મંચે ટેકો આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK