Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિનિયરો હેરાન કરતા હોવાથી બે બાળકો સાથે શિક્ષકે કરી આત્મહત્યા

સિનિયરો હેરાન કરતા હોવાથી બે બાળકો સાથે શિક્ષકે કરી આત્મહત્યા

Published : 18 July, 2026 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર બ્રિજ પરથી ગોદાવરી નદીમાં કુદાવીને જીવન ટૂંકાવ્યું

ગોદાવરી નદીમાંથી કાર અને મૃતદેહો બહાર કાઢતી SDRFની ટીમ

ગોદાવરી નદીમાંથી કાર અને મૃતદેહો બહાર કાઢતી SDRFની ટીમ


નાંદેડમાં એક ટીચરે પોતાનાં બે બાળકોની સાથે ગોદાવરી નદીના બ્રિજ પરથી કાર કુદાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના શુક્રવારે બની હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં ગોદાવરી નદીમાં ડૂબી જવાથી ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે કરેલી તપાસમાં સુનીલ મોરે નામના ૪૨ વર્ષના શિક્ષકે તેમનાં બાળકો સારા (૧૨ વર્ષ) અને સુમિત (૮ વર્ષ) સાથે આત્મહત્યા કરી હતી. આ ઘટના સમયે શિક્ષકની પત્ની ઘરે હતી.

વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘સુનીલ મોરે હિમાયતનગરની બુદ્રુકની જિલ્લા-પરિષદની સ્કૂલમાં ટીચર હતા અને સિનિયરો દ્વારા હેરાન કરવામાં આવતા હોવા બાબતે તેમણે વૉટ્સઍપ પર સ્ટેટસ મૂક્યું હતું. સ્ટેટસમાં તેઓ પોતાનાં બાળકો સાથે આત્મહત્યા કરશે એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું.’



શુક્રવારે સવારે આઠ વાગ્યે સુનીલ તેમનાં બન્ને બાળકોને લઈને આમદુરા-પુણેગાવ રોડ પર કારમાં ગયા હતા અને ત્યાં ગોદાવરી બ્રિજ પર બંધાયેલા પુલ પર આવેલી લોખંડની રેલિંગ સાથે ગાડી અથડાવી હતી જે સીધી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. આ બાબતની જાણ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમને કરવામાં આવતાં એ ત્યાં પહોંચી હતી અને ૩ કલાક બાદ નદીમાંથી કાર તથા ત્રણેયના મૃતદેહને શોધી કાઢ્યા હતા. પોલીસે આ મુદ્દે આગળ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK