તેમની પાલખીયાત્રા આજે મુલુંડના શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘથી નીકળશે.
મુનિરાજ શ્રી વિકસ્વર વિજયજી મહારાજસાહેબ
શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પ. પૂ. ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સાંનિધ્યમાં પ. પૂ આચાર્ય ભગવંત જયસુંદરસૂરિ મ.સા.ના શિષ્ય અને પંન્યાસ શ્રી કૃપાબિંદુશ્રી મહારાજસાહેબના સંસારી પિતાશ્રી ૮૩ વર્ષના પ. પૂ મુનિરાજ શ્રી વિકસ્વર વિજયજી મહારાજસાહેબ ગઈ કાલે ગુરુવારે મુલુંડના ઝવેર રોડ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમની પાલખીયાત્રા આજે મુલુંડના શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘથી નીકળશે.