રોજ જે પાણી પૂરું પાડવામાં આવે છે એમાંથી ૩૪ ટકા પાણી ગળતરમાં વેડફાય છેઃ BMCમાં ગયા વર્ષે કુર્લામાં સૌથી વધુ ૩૬૮૫ સહિત ૨૬,૯૬૨ ફરિયાદ મળી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી; આ સાત જળાશયમાંથી દરરોજ ૩૮૫૦ મિલ્યન લીટર પાણી રોજ પૂરું પાડવામાં આવે છે. આ પાણીપુરવઠો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પાઇપલાઇન દ્વારા જળાશયોમાંથી મુંબઈમાં લાવીને વિતરણ કરવામાં આવે છે. પાણીનું વિતરણ કરતી વખતે ગયા વર્ષે લીકેજ થવાની ૨૬,૯૬૨ ફરિયાદ મળી હતી જે BMC માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. મુંબઈના ૨૪ વૉર્ડમાંથી સૌથી વધુ ૩૬૮૫ ફરિયાદ કુર્લાના એલ વૉર્ડમાં મળી હોવાનું જણાઈ આવ્યું છે. બીજી રીતે કહીએ તો દરરોજ મુંબઈમાં જેટલું પાણી પૂરું પાડવામાં આવે છે એમાંથી ૩૪ ટકા પાણી લીકેજમાં વેડફાય છે. આ લીકેજ રોકવા માટેના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં એનો ઉકેલ BMCને નથી મળી રહ્યો.
BMCના આંકડા પરથી જણાઈ આવ્યું છે કે મુંબઈમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એમાંથી ૬૫ ટકા પાણીનું બિલિંગ થાય છે; બાકીનું પાણી લીકેજ, ચોરી કે ટેક્નિકલ ખામીમાં વેડફાઈ જાય છે. મુંબઈમાં પાણીપુરવઠો કરવા માટે ૩૮૦ કિલોમીટરની પાઇપલાઇનનું માળખું છે. આ પાઇપલાઇનમાં અમુક જગ્યાએ લીકેજ થાય છે.
ADVERTISEMENT
આંકડાબાજી
૨૬૯૬૨
મુંબઈમાં લીકેજની કુલ ટલી ફરિયાદ મળી
૩૬૮૫
સૌથી વધારે કુર્લાના એલ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૨૨૩૯
મલાડના પી નૉર્થ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૯૪૯
અંધેરી-ઈસ્ટના કે ઈસ્ટ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૬૬૯
ઘાટકોપરના એન વૉર્ડમાં આટલી ફરિયાદ મળી
૧૪૪૪
ભાંડુપના એસ વૉર્ડમાં આટલી ફરિયાદ મળી


