Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

04 March, 2021 08:41 AM IST | Mumbai
Agency

મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે


મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ બુધવારે જણાવ્યું હતું કે ‘દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે એક જ ઑથોરિટીનું નિર્માણ કરવું એ રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. એ બહેતર ઉત્તરદાયિત્વ પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગી નીવડશે.’

મહાનગરપાલિકા, હાઉસિંગ માટે મ્હાડા અને એમએમઆરડીએ જેવા રાજ્ય સરકાર હેઠળના એકમો તથા કેન્દ્ર સરકાર હેઠળના ઍરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને પોર્ટ્સ જેવા એકમો સહિતની સોળ સંસ્થાઓ વર્તમાન સમયમાં મુંબઈમાં સંચાલન સંભાળે છે. આ વિશે વધુ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે એકહથ્થુ સત્તા શહેરની તમામ જરૂરિયાતો માટે એક જ એકમને જવાબદારી સોંપીને બહેતર ઉત્તરદાયિત્વ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.



ઔદ્યોગિક એકમ સીઆઇઆઇ સાથેના સેશન દરમિયાન આદિત્ય ઠાકરેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વર્તમાન સમયમાં રાજ્ય સરકારની ટોચની પ્રાથમિકતા કઈ છે?


એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘હવે અમે મુંબઈમાં એકહથ્થુ ઑથોરિટી પ્રસ્થાપિત કરવા વિચારી રહ્યા છીએ. એક પેરન્ટ એકમ જે મુંબઈનું સંચાલન કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2021 08:41 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK