Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોમાસા પહેલાં મુંબઈનાં નાળાંઓનું ૮ ફુટ ઊંચી જાળીથી ફેન્સિંગ કરવામાં આવશે

ચોમાસા પહેલાં મુંબઈનાં નાળાંઓનું ૮ ફુટ ઊંચી જાળીથી ફેન્સિંગ કરવામાં આવશે

Published : 13 April, 2026 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નદી-નાળામાં આડેધડ કચરો ફેંકતા લોકોને રોકવા BMCનો નિર્ણય

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


મુંબઈમાં ચોમાસા દરમ્યાન ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે BMCએ શહેરનાં નાળાંઓને ફેન્સિંગ (તારની જાળી)થી સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. નાળાંઓમાં કચરો ફેંકવાને કારણે ગટર-વ્યવસ્થામાં સર્જાતા અવરોધોને રોકવા માટે આ મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘નાળાંઓની આસપાસ અંદાજે આઠ ફુટ ઊંચી તારની જાળી લગાવવામાં આવશે. આ જાળી ઉપરના ભાગે એક ફુટ જેટલી વળેલી હશે જેથી લોકો નાળામાં કચરો ફેંકી ન શકે.’



મુંબઈમાં મોટા ભાગનાં નાળાંઓની આસપાસ ઝૂંપડપટ્ટી આવેલી છે અને ત્યાંના રહેવાસીઓ આડેધડ ફેંકી રહેલા કચરાને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી પડે છે.


મુંબઈમાં અત્યારે ૨૭૪ કિલોમીટરનાં મુખ્ય નાળાંઓ અને ૬૭૩ કિલોમીટરનાં નાનાં નાળાંઓનું નેટવર્ક છે. પ્રશાસનનું માનવું છે કે માત્ર તારની જાળી લગાવવાની હોવાથી આ કામગીરી બે 
મહિનામાં એટલે કે ચોમાસું શરૂ થાય એ પહેલાં પૂર્ણ કરી શકાશે. આ ફેન્સિંગથી ગટર જામ થવાની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને પૂર જેવી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK