° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


Mumbai News :થાણેમાં એક મકાનમાં ફાટી નિકળી આગ, ઘટના પાછળનું કારણ અકબંધ

16 March, 2023 12:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ (Mumbai)ના થાણે (Thane)માં એક મકાનમાં એકાએક લાગ લાગી હતી. જોકે આગ લાગવા પાછળ શું કારણ છે તે હજી જાણી શકાયુ નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane)શહેરમાં ગુરુવારે સવારે એક માળના મકાનમાં આગ લાગી હતી અને એક કલાકમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી. આ માહિતી એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને આપી હતી. 

તેમણે જણાવ્યું હતું કે લોકમાન્ય નગર ખાતે એક ચૉલ (રો ટેનામેન્ટ) માં સવારે 7.30 વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી. જોકે, સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી.

થાણે નાગરિક સંસ્થાના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે પીટીઆઈને જણાવ્યું હતું કે સ્થાનિક ફાયરકર્મીઓએ એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પાછળનું કારણ હજી અકબંધ છે. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: Maharashtra: દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ, કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે ઉપનગરીય મુલુંડમાં સાત માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નિકળી હતી. જ્યાં આશરે 80 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો સહિત દસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એકાએક ફાટી નીકળેલી જ્વાળાઓ જાગૃતિ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના સામાન્ય ઇલેક્ટ્રિક મીટર કેબિનમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, મીટર અને સ્વીચો સુધી મર્યાદિત રહી હતી. 

 

16 March, 2023 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ખોવાયેલાં ઘરેણાં પોલીસે બે કલાકમાં જ શોધી કાઢ્યાં

નાયગાંવમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલી મહિલાનું પર્સ રસ્તામાં પડી ગયું હતું; જેમાં પાંચ તોલા સોનાનાં ઘરેણાં, બે મોબાઇલ ફોન અને મહત્ત્વનાં કાગળિયાં હતાં

24 March, 2023 11:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

અંતરીક્ષજી તીર્થમાં ભગવાનના લેપની પ્રક્રિયા શાંતિથી શરૂ થઈ

હવે ફરીથી કોઈ વિઘ્નો ન આવે તો આ પ્રક્રિયા વધુમાં વધુ બે મહિનામાં પૂરી જઈ જશે અને જૈન સમુદાયો તેમની પરંપરા પ્રમાણે બે મહિના પછી પૂજા-સેવા શરૂ કરી શકશે

24 March, 2023 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બુકી અનિલ જયસિંઘાનીએ ધરપકડને ગેરકાયદે ગણાવીને એફઆઇઆર રદ કરવા કોર્ટ સમક્ષ રજૂઆત

બુકી અનિલ જયસિંઘાનીએ ધરપકડને ગેરકાયદે ગણાવીને એફઆઇઆર રદ કરવા માટે હાઈ કોર્ટ સમક્ષ કરી રજૂઆત

24 March, 2023 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK