Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેકર અટેન્શન પ્લીઝ! બુધવારે શહેરના આ ભાગોમાં નહીં આવે પાણી

થાણેકર અટેન્શન પ્લીઝ! બુધવારે શહેરના આ ભાગોમાં નહીં આવે પાણી

13 March, 2023 07:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થાણેના કેટલાક ભાગોમાં બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (Thane Municipal Corporation)ની યોજના મુજબ 2000 મીમી વ્યાસની મુખ્ય પાણીની ચેનલને ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ N-H 3 બાજુએ લોધા ધામમાં ખસેડવાનું કામ બુધવારે હાથ ધરવામાં આવશે. તેથી, થાણેના કેટલાક ભાગોમાં બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 24 કલાક માટે પાણી પુરવઠો (Water Supply in Thane) બંધ રહેશે. તેથી, થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને નાગરિકોને પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

`આ` વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે



મજીવાડા, ઘોડબંદર રોડ, પાટલીપાડા, ગાંધીનગર, સિદ્ધાંચલ, ઋતુપાર્ક, જેલતકી, સિદ્ધેશ્વર, સમતાનગર, ઇન્દિરાનગર, લોકમાન્યનગર, શ્રીનગર, રામનગર, ઇટર્નિટી, જોન્સન, સાકેત, રૂસ્તમજી, કલવા અને મુંબ્રાના કેટલાક વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. આ શટડાઉનના કારણે પાણી પુરવઠો પૂર્વવત નહીં થાય ત્યાં સુધી આગામી એક-બે દિવસ પાણીનો ફોર્સ ઓછો રહેવાની શક્યતા છે. જોકે, થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન વતી નાગરિકોને પાણીનો યોગ્ય પુરવઠો રાખવા અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


દરમિયાન, થાણે મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે 7 માર્ચે થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં પાણી વિતરણ અંગેની ફરિયાદો અને શટડાઉન દરમિયાન થયેલી ફરિયાદોની પૃષ્ઠભૂમિમાં તમામ જુનિયર એન્જિનિયરોથી લઈને પાણી પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો સાથે બેઠક યોજી હતી. શહેરમાં કામોનું નિરીક્ષણ કરતાં કમિશનર બાંગરે પાણી વિતરણ, રસ્તાના કામોને કારણે વિતરણની સમસ્યાઓ, પાણીની ચેનલના સમારકામ માટે ચાર દિવસથી બંધ કરાયેલો પાણી પુરવઠો અને સમગ્ર શહેર પર તેની અસરની સમીક્ષા કરી હતી, ત્યારે પાણી પુરવઠાના મુદ્દે તેમણે સત્તાધીશોના કાન આમળ્યા હતા.

આ પણ વાંચો: Mumbai: જોગેશ્વરી બાદ હવે મલાડમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં


થાણે મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે બેઠકમાં કહ્યું હતું કે “પાણી પુરવઠા અંગેની ફરિયાદો સંદર્ભે, મળેલા જવાબો બેજવાબદાર છે અને આ વિભાગના મોટાભાગના અધિકારીઓ હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો આપણે પાણીની સમસ્યાનો ઉકેલ શોધી શકતા નથી, તો તે એક સંસ્થા તરીકે આપની નિષ્ફળતા છે.”

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK