Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: જે જે હોસ્પિટલની હોસ્ટેલમાં 22 વર્ષના MBBS સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ લીધો

Mumbai News: જે જે હોસ્પિટલની હોસ્ટેલમાં 22 વર્ષના MBBS સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ લીધો

Published : 10 June, 2025 09:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai News: પ્રારંભિક તપાસ સૂચવે છે કે મૃતક રોહન તેના અભ્યાસ અને ઘરની આર્થિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં રહેતો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાંથી ચોંકાવનારા સમાચાર (Mumbai News) મળી રહ્યા છે. અહીં ભાયખલામાં જેજે હોસ્પિટલમાં પોતાના હોસ્ટેલ રૂમમાં ૨૨ વર્ષના સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર તે એમબીબીએસનાં ત્રીજા વર્ષમાં ભણતો હતો. રોહન પ્રજાપતિએ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 


જેજે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ બનાવ વિષે જાણકારી આપતાં (Mumbai News) જણાવ્યું હતું કે, રોહન અભ્યાસને કારણે ખૂબ જ પ્રેશરમાં રહેતો હતો. વળી, તે ઘરની આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યો હતો. સોમવારે જ્યારે તે પોતાના રૂમમાંથી ઘણા સમય સુધી બહાર ન આવ્યો ત્યારે શક પડ્યો હતો. તેણે દરવાજો ખોલ્યો નહીં ત્યારબાદ તેના રૂમનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો અને અંદર જઈને જોયું તો તે પંખા સાથે લટકતો હતો.



આ ઘટના મુંબઈ (Mumbai News)ની સર જે જે હોસ્પિટલની અંદર સ્થિત `અપના બોયઝ` નામની હોસ્ટેલમાં બની છે. સર જે જે માર્ગ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અત્યારે તો આ સમગ્ર બનાવને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) તરીકે નોંધ કરી છે. હોસ્ટેલમાં પાંચમા ફ્લોર પર રૂમ નં. 198માં આ આત્મહત્યાનો બનાવ બન્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તે તેના રૂમમાં નાયલોનના દોરડા સાથે પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. તેણે પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે રોહન તેના અભ્યાસ અને ઘરની આર્થિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં રહેતો હતો. હોઇ શકે કે આ જ કારણોસર તેણે આ કઠોર પગલું ભર્યું હોય. આ બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક જે જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


હાલમાં પોલીસે હોસ્ટેલમાં તેની સાથે અભ્યાસ કરનારા મિત્રોનાં નિવેદનો નોંધ્યા છે અને આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. મૃતકની ઓળખ રોહન રામફેર પ્રજાપતિ તરીકે થઈ છે. જે અહીં ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ લઈ રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 8 જૂન, 2025ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. તેની સાથે તે જ રૂમમાં રહેતા તેના રૂમમેટ રિતેશ રાકેશ વિશ્વકર્માએ આ બનાવ વિષે અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રોહનને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને 10:50 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ (Mumbai News) સૂચવે છે કે વિદ્યાર્થી ઘરમાં ચાલી રહેલા આર્થિક સંકડામણ અને અભ્યાસલક્ષી પ્રેશરને કારણે માનસિક તણાવમાં હતો. હજી આ મામલે તપાસ ચાલી રહી છે. વધુ વિગતો સામે આવી શકે છે./


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK