Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai- જોગેશ્વરી સ્ટેશન પર 3/4 ફેબ્રુઆરી 2023ના રોજ આ સમયે હશે મેજર બ્લૉક

Mumbai- જોગેશ્વરી સ્ટેશન પર 3/4 ફેબ્રુઆરી 2023ના રોજ આ સમયે હશે મેજર બ્લૉક

03 February, 2023 07:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પશ્ચિમ રેલવેએ કહ્યું કે શુક્રવાર અને શનિવારની રાતે એટલે 3 અને 4 ફેબ્રુઆરીના રૂટ રિલે ઈન્ટરલૉકિંગ (આરઆરઆઈ) પેનલને ઇલેક્ટ્રૉનિક ઈન્ટરલૉકિંગ (RRI)માં બદલવા માટે એક મોટું બ્લૉક લેવામાં આવશે.

ફાઈલ તસવીર Mumbai Local

ફાઈલ તસવીર


વેસ્ટર્ન રેલવેના (Western Railway Major block) મુંબઈ ડિવીઝને ગુરુવારે કહ્યું કે તે 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાતે જોગેશ્વરીમાં (Jogeshwari) એક પ્રમુખ બ્લૉકનું સંચાલન કરશે. ગુરુવારે જાહેર કરેલા એક ઑફિશિયલ નિવેદનમાં પશ્ચિમ રેલવેએ કહ્યું કે શુક્રવાર અને શનિવારની રાતે એટલે 3 અને 4 ફેબ્રુઆરીના રૂટ રિલે ઈન્ટરલૉકિંગ (આરઆરઆઈ) પેનલને ઇલેક્ટ્રૉનિક ઈન્ટરલૉકિંગ (RRI)માં બદલવા માટે એક મોટું બ્લૉક લેવામાં આવશે.

રૂટ રિલે ઈન્ટરલૉકિંગ સિસ્ટમ ભારતીય રેલવેમાં પ્રમુખ યાર્ડો માટે મહત્વપૂર્ણ સિગ્નલિંગ સિસ્ટમમાંનો એક છે. RRI પ્રણાલીનું પાયાનું જ્ઞાન સિગ્નલ કર્મચારીઓને દેખરેખ માટે સમસ્યા નિવારણમાં મદદ કરી શકે છે.



જ્યારે ઈલેક્ટ્રૉનિક ઈન્ટરલૉકિંગ સિસ્ટમ એક માઇક્રોપ્રોસેસર આધારિત ઈન્ટરલૉકિંગ ઉપકરણ છે જે યાર્ડ અને પેનલ ઈનપુટને ભણે છે અને તેમની પસંદગી તાલિકા પ્રમાણે વિફળ-સુરક્ષિત રીતે સંશોધિત કરે છે અને જરૂરી આઉટપુટ પેદા કરે છે. વિશેષજ્ઞોની સલાહ છે કે સિસ્ટમને પારંપરિક રિલે ઈન્ટરલૉકિંગ સિસ્ટમના સફળ વિકલ્પ તરીકે માનવામાં આવે છે.


પશ્ચિમ રેલવેએ નિવેદનમાં આગળ કહ્યું કે આ સમય દરમિયાન સંચાલિત કરવામાં આવતા બ્લૉકને પશ્ચિમ રેલવેની અપ અને ડાઉન હાર્બર અને ધીમી લાઈનો પર લઈ જવામાં આવશે. પશ્ચિમ રેલવે 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાનની રાતે 00.40 વાગ્યાથી 4.40 વાગ્યા સુધી પ્રમુખ બ્લૉકનું સંચાલન કરશે. બ્લૉકની સમય મર્યાદા દરમિયાન, અંધેરી (Andheri) અને ગોરેગાંવ (Goregaon) રેલવે સ્ટેશન વચ્ચે બધી ધીમી લાઈનની ટ્રેનોને ફાસ્ટ લાઈન પર સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેનો પ્લેટફૉર્મના અભાવે ગોરેગાંવના રામમંદિર સ્ટેશન પર થોભશે નહીં.

આ પણ વાંચો : ટૂંક સમયમાં જ થાણે અને ઐરોલી વચ્ચે શરૂ થશે દીધા સ્ટેશન, જાણો વિગતો


કેટલીક બોરીવલી-ચર્ચગેટ ધીમી ટ્રેનો બોરીવલી સ્ટેશન-અંધેરી સ્ટેશન-બાન્દ્રા સ્ટેશન-દાદર સ્ટેશન અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનો વચ્ચે ફાસ્ટ ચાલશે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK