Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Entertainment: મનોરંજન થશે મોંઘુ? BMCનો થિયેટર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ

Mumbai Entertainment: મનોરંજન થશે મોંઘુ? BMCનો થિયેટર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ

Published : 03 January, 2024 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BMC થિયેટર (Mumbai Entertainment), ડ્રામા, સર્કસ, એર કન્ડિશન્ડ અને નોન એર કન્ડિશન્ડ સિનેમા હોલ સહિત મનોરંજનના અન્ય માધ્યમો પર ટેક્સ રેટ વધારવાની યોજના બનાવી રહી છે.

થિયેટર હૉલની પ્રતીકાત્મક તસવીર

થિયેટર હૉલની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈમાં મનોરંજન માટે ચૂકવવા પડશે વધુ પૈસા
  2. BMCનો થિયેટર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ
  3. છેલ્લી વખત મુંબઈમાં 2010-11માં થિયેટર ટેક્સમાં વધારો થયો હતો

Mumbai Entertainment: BMC મુંબઈકરોને વધુ એક આર્થિક ફટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. BMC થિયેટર, ડ્રામા, સર્કસ, એર કન્ડિશન્ડ અને નોન એર કન્ડિશન્ડ સિનેમા હોલ સહિત મનોરંજનના અન્ય માધ્યમો પર ટેક્સ રેટ વધારવાની યોજના બનાવી રહી છે. મુંબઈમાં છેલ્લા 13 વર્ષમાં થિયેટર ટેક્સ વધ્યો નથી. તેથી, BMCએ નાણાકીય વર્ષ 2024-25 માટે આ ટેક્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવને BMC એડમિનિસ્ટ્રેટર આઈએસ ચહલ તરફથી અંતિમ મંજૂરી મળવાની બાકી છે.

દરખાસ્ત મુજબ, વાતાનુકૂલિત થિયેટરો (Mumbai Entertainment) માટે આ ટેક્સ પ્રતિ નાટક 200 રૂપિયા હશે, જ્યારે બિન-વાતાનુકૂલિત થિયેટર માટે આ જ ટેક્સ નાટક દીઠ 45 રૂપિયાથી લઈને 90 રૂપિયા પ્રતિ નાટક સુધી વસૂલવામાં આવશે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો ફિલ્મો અને નાટકોની ટિકિટના ભાવમાં પણ વધારો થવાની આશા છે. છેલ્લી વખત મુંબઈમાં 2010-11ના નાણાકીય વર્ષમાં થિયેટર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2015-16માં BMCએ થિયેટર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી ન હતી. આ વધેલા વિકાસ દરથી BMCને રૂ. 10 કરોડની આવક થવાની ધારણા છે.



મલ્ટિપ્લેક્સ થિયેટરોની સંખ્યામાં વધારો થયો છે


BMCના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 10 થી 12 વર્ષોમાં મુંબઈમાં સિંગલ સ્ક્રીન થિયેટરો (Mumbai Entertainment:)ની સરખામણીમાં મલ્ટિપ્લેક્સ થિયેટરોની સંખ્યામાં વધારો થયો છે. આમાં એકથી આઠ સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સ થિયેટરોનો પણ સમાવેશ થાય છે. તેમની ટિકિટની કિંમત 200 રૂપિયાથી 1550 રૂપિયા સુધીની છે. સમય, દિવસ અને ફિલ્મની લોકપ્રિયતા અનુસાર આ દરો બદલાય છે.

નોંધનીય છે કે રાજ્યના રાજકારણમાં નજીકના ભવિષ્યમાં ફરી ધરતીકંપ થવાની શક્યતા જોવાઈ રહી છે. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે દાવો કર્યો છે કે કૉન્ગ્રેસના ૯ નેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંપર્કમાં છે અને તેઓ આગામી ચૂંટણી શિવસેનામાંથી લડવા તૈયાર છે. આની સામે કૉન્ગ્રેસના વિધાનસભ્ય સતેજ પાટીલે દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથના ૭ સંસદસભ્યો લોકસભાની ચૂંટણીમાં બીજેપીના નિશાન પર લડશે. એ માટે આ સાંસદોએ લેખિતમાં આવી ઇચ્છા વ્યક્ત કરી હોવાનો દાવો તેમણે કર્યો છે. ચૂંટણી નજીક આવતી જશે એમ આવા દાવા બધા પક્ષો દ્વારા કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK