Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં દિવાળીથી મળી શકે છે ૨૪ કલાક પાણી

મીરા-ભાઈંદરમાં દિવાળીથી મળી શકે છે ૨૪ કલાક પાણી

Published : 10 April, 2025 12:03 PM | Modified : 11 April, 2025 06:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂર્યા પાણીપુરવઠા યોજનામાં વધુ ૨૧૮ મિલ્યન લીટર પાણીની સપ્લાય થવાથી લોકોને થઈ જશે ઘણી રાહત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા-ભાઈંદરમાં છેલ્લા ત્રણ દાયકામાં જબરદસ્ત વિકાસ થવાની સાથે વસ્તીમાં પણ ધરખમ વધારો થયો છે. અહીં પંદરેક લાખ લોકો રહે છે. એની સામે પાણીપુરવઠો મર્યાદિત છે એટલે લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી થઈ રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદરને સૂર્યા પાણીપુરવઠા યોજના અંતર્ગત દરરોજ વધુ ૨૧૮ મિલ્યન લીટર પાણીની સપ્લાયને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. સૂર્યા નદીથી મીરા-ભાઈંદરમાં પાણી પહોંચાડવા માટે અત્યારે વસઈના કાશિદ કોપરથી ચેના ગામ સુધીની પાંચ કિલોમીટર લંબાઈની પાણીની પાઇપલાઇન બેસાડવાનું, વસઈ ખાડીની નીચે માઇક્રો ટનલનું, ચેના ગામમાં પ્રાઇવેટ જગ્યામાં પુલ બાંધવાનું અને ચેના ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. ગઈ કાલે રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સૂર્યા પાણીપુરવઠા યોજનાના ચાલી રહેલા કામની ચકાસણી કરી હતી. આ તમામ કામ છ મહિનામાં પૂરાં થઈ જશે એટલે દિવાળીમાં મીરા-ભાઈંદરને ૨૪ કલાક પાણી મળવા લાગશે એવો વિશ્વાસ પરિવહનપ્રધાને વ્યક્ત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK