Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદરના તળાવમાં ૬ ફુટથી નાની ગણેશમૂર્તિઓનું પણ વિસર્જન, પોલીસે ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી

ભાઈંદરના તળાવમાં ૬ ફુટથી નાની ગણેશમૂર્તિઓનું પણ વિસર્જન, પોલીસે ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી

Published : 02 September, 2025 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાની જાણ MBMCના અધિકારીઓને થતાં તેમણે વિસર્જન અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર લોકોએ MBMCના અધિકારીઓને ગાળો ભાંડીને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાઈંદર-વેસ્ટના રાયગાવમાં આવેલા નૈસર્ગિક તળાવમાં દોઢ દિવસના ગણપતિની મૂર્તિઓના વિસર્જન વખતે ૬ ફુટથી નાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હોવાનું જાણ્યા બાદ રવિવારે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના અધિકારીઓએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. હાઈ કોર્ટના આદેશ અનુસાર ૬ ફુટ અથવા એનાથી મોટી મૂર્તિનું જ કુદરતી તળાવમાં વિસર્જન થવું જોઈએ પરંતુ સ્થાનિક લોકોએ રાયગાવ તળાવની બહારનાં તાળાં તોડીને એકથી દોઢ ફુટની મૂર્તિનું વિસર્જન કર્યું હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, ઘટનાની જાણ MBMCના અધિકારીઓને થતાં તેમણે વિસર્જન અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર લોકોએ MBMCના અધિકારીઓને ગાળો ભાંડીને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. આ મામલે પોલીસે ૭ આરોપીઓની ઓળખ કરીને બીજા આરોપીઓની ઓળખ કરવા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાની શરૂઆત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK