Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉર્પોરેટરના પતિની હત્યા પછી એકનાથ શિંદે ઘરે જઈને તેમના પરિવારને મળ્યા

કૉર્પોરેટરના પતિની હત્યા પછી એકનાથ શિંદે ઘરે જઈને તેમના પરિવારને મળ્યા

Published : 28 December, 2025 10:34 AM | IST | Khopoli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનસી કાળોખે નગરસેવિકા તરીકે ચૂંટાયાં એના થોડા દિવસો પછી ૨૬ ડિસેમ્બરે મંગેશ કાળોખેની હત્યા થઈ હતી.

એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું કે તેઓ પોતે કાળોખે પરિવારના પડખે ઊભા છે

એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું કે તેઓ પોતે કાળોખે પરિવારના પડખે ઊભા છે


રાયગડના ખોપોલીનાં કૉર્પોરેટર માનસી કાળોખેના હસબન્ડ મંગેશ કાળોખેની હત્યાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે કાળોખે પરિવારને મળ્યા હતા. કાળોખે પરિવારે આરોપીઓને મૃત્યુદંડ આપવાની માગણી કરી છે. એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું કે તેઓ પોતે કાળોખે પરિવારના પડખે ઊભા છે. તેમણે કહ્યું હતું કે ‘કોઈને પણ છોડવામાં નહીં આવે. હું પોતે આ કેસ પર નજર રાખીશ. આરોપીઓને દબોચી લેવામાં આવશે.’

મ્યુનિસિપલ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને માનસી કાળોખે નગરસેવિકા તરીકે ચૂંટાયાં એના થોડા દિવસો પછી ૨૬ ડિસેમ્બરે મંગેશ કાળોખેની હત્યા થઈ હતી. NCPના નેતા અને તેમના ગુંડાઓએ આ હત્યા કરી હોવાનો શિવસેનાએ આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદેની સામે કાળોખે પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. પોલીસે આ કેસમાં NCPના નેતા સહિત ૧૦ લોકોની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2025 10:34 AM IST | Khopoli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK