Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનોજ જરાંગેએ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળનો પ્રસ્તાવ ફગાવ્યો

મનોજ જરાંગેએ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળનો પ્રસ્તાવ ફગાવ્યો

Published : 02 September, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપવાસ આંદોલન યથાવત્ રાખવાની સાથે સરકારને આપ્યું અલ્ટિમેટમ

મનોજ જરાંગે

મનોજ જરાંગે


મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે પોતાનું આમરણ ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. આંદોલનના ચોથા દિવસે સરકાર તરફથી સંવાદ સાધવા પહોંચેલા જાલનાના જિલ્લા-કલેક્ટરના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો.

૨૯ ઑગસ્ટથી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેની મધ્યસ્થી માટે સરકારે જાલનાના વહીવટી અધિકારીઓને મોકલ્યા હતા. ગઈ કાલે મોડી રાત્રે કલેક્ટર અને પોલીસવડાએ તેમની મુલાકાત લઈને ઉપવાસ સમેટવા વિનંતી કરી હતી. જોકે જરાંગે પાટીલે અધિકારીઓની ઉપસ્થિતિ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર પોતાના રાજકીય નેતાઓને મોકલવાને બદલે અધિકારીઓને કેમ મોકલી રહી છે?



જરાંગે પાટીલે સ્પષ્ટ ચીમકી આપતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારનું ઉચ્ચસ્તરીય રાજકીય નેતૃત્વ સ્થળ પર આવીને મરાઠા અનામત અંગે સ્પષ્ટ અને નક્કર આશ્વાસન નહીં આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. વહીવટી તંત્રની આ મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે આંદોલન વધુ તીવ્ર બને એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK