Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૯ મહિનામાં મહારેરાની ૫૨૦૦ ફરિયાદોનો ઉકેલ આવ્યો

૯ મહિનામાં મહારેરાની ૫૨૦૦ ફરિયાદોનો ઉકેલ આવ્યો

Published : 09 September, 2025 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમયગાળા અગાઉ નોંધાયેલી જૂની ફરિયાદો સહિત કુલ ૫૨૬૭ ફરિયાદોનું આ ૯ મહિનાના સમયગાળામાં નિવારણ લાવવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં બિલ્ડિંગના પ્રોજેક્ટ્સમાં થતા વિલંબ અને પ્રોજેક્ટ્સને લગતી ફરિયાદો મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (મહારેરા) સમક્ષ નોંધાવવામાં આવે છે. જુલાઈ મહિના સુધીમાં નોંધાયેલી ૫૨૬૭ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

મહારેરાના ચૅરમૅન મનોજ સૈનિકે મહારેરામાં નોંધાયેલી જૂની અને નવી ફરિયાદોની સુનાવણી માટે સ્પેશ્યલ પૉલિસી અમલી બનાવી છે. એ અંતર્ગત ઑક્ટોબર ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં મહારેરામાં કુલ ૩૭૪૩ ફરિયાદો નોંધાઈ હતી. આ સમયગાળા અગાઉ નોંધાયેલી જૂની ફરિયાદો સહિત કુલ ૫૨૬૭ ફરિયાદોનું આ ૯ મહિનાના સમયગાળામાં નિવારણ લાવવામાં આવ્યું છે.



૨૦૧૭માં મહારેરાની સ્થાપના થઈ ત્યારે નોંધાયેલી ૩૦,૮૩૩ ફરિયાદોમાંથી ૨૩,૬૬૧  ફરિયાદો મહારેરાની સ્થાપના અગાઉની છે જ્યારે ૬,૨૧૮ ફરિયાદો મહારેરાની સ્થાપના પછીની છે. હાલમાં મહારેરામાં ૫૧,૪૮૧ પ્રોજેક્ટ્સ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી ૫૭૯૨ પ્રોજેક્ટ વિરુદ્ધ કાયદાકીય, આર્થિક અને ટેક્નિકલ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK