મહારાષ્ટ્ર (Maharashtra)માં અકોલા બાદ અહમદનગર(ahmednagar)માં હિંસા શરૂ થઈ છે. અહમદનગર જિલ્લાના શેવગામાં રવિવારે રાતે એક ધાર્મિકયાત્રા દરમિયાન બે જુથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)માં અકોલા બાદ અહમદનગરમાં હિંસા શરૂ થઈ છે. અહમદનગર (ahmednagar)જિલ્લાના શેવગામાં રવિવારે રાતે એક ધાર્મિકયાત્રા દરમિયાન બે જુથો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ સ્થિતિ ઉગ્ર બનતા ઘટનાએ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યુ અને જોરદાર પથ્થરમારો પણ થયો. હિંસા દરમિયાન આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ ધાર્મિક યાભા માટે અતિરેક્ત પોલીસ અને એસઆરપીએફ ફોર્સની પહેલાથી જ તૈનાતી થઈ હતી.
હિંસા અને પથ્થરમારો ઘટના મામલો પોલીસે 50 લોકોની અટકાયત કરી છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે. આ ઘટના ઔરંગાબાદ અને અહમદનગર શહેરથી 80 કિલોમીટર દૂરી પર બની છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસબળને તૈનાત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સમાચાર અનુસાર છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ પર રવિવારે સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન એક જૂથે સરઘસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.આ પછી, અન્ય જૂથ દ્વારા ધાર્મિક સ્થળ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હિંસા ફાટી નીકળી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાનની હાજરીવાળી ઇવેન્ટમાં ટીવી-ચૅનલના રિપોર્ટરને ધક્કે ચડાવાયો
છેલ્લા એક મહિનામાં અહેમદનગરમાં હિંસાની આ બીજી ઘટના છે. ગત એપ્રિલ મહિનામાં બંને જૂથો વચ્ચે થયેલી ભીષણ અથડામણે હિંસાનું સ્વરૂપ લીધું હતું.આ દરમિયાન પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.અહીં બે લોકો વચ્ચેની ચર્ચા એટલી વધી ગઈ કે તેણે હિંસાનું સ્વરૂપ લઈ લીધું.
આ પહેલા શનિવારે મહારાષ્ટ્રના અકોલામાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ભારે પથ્થરમારો થયો. આ દરમિયાન બદમાશોએ અનેક વાહનોની તોડફોડ કરી હતી. હિંસા દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે પોલીસકર્મીઓ સહિત 8 લોકો ઘાયલ થયા છે.આ પછી, વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરીને કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઈનાં રિક્ષા-ભાડાં તો વિમાન-ટિકિટથીયે મોંઘાં
હિંસામાં વિલાસ ગાયકવાડનું મોત થયું હતું. વિલાસ 40 વર્ષનો ઇલેક્ટ્રિશિયન હતો.પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટની ફરિયાદ બાદ ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી.થોડી જ વારમાં બીજા સમુદાયના લોકો સામે આવ્યા, તેઓએ પણ પથ્થરમારો શરૂ કર્યો.બંને પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો. તોફાનીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા