Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics: રાજ ઠાકરેએ પત્ર લખી ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને કરી આ અપીલ

Maharashtra Politics: રાજ ઠાકરેએ પત્ર લખી ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને કરી આ અપીલ

16 October, 2022 08:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે(Raj Thackeray)એ રવિવારે ઉપમુખ્યમંત્રી નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને આગામી વિધાનસભા પેટાચૂંટણીને લઈને પત્ર લખ્યો હતો.

રાજ ઠાકરે

રાજ ઠાકરે


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે(Raj Thackeray)એ રવિવારે ઉપમુખ્યમંત્રી નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને આગામી વિધાનસભા પેટાચૂંટણીને લઈને પત્ર લખ્યો હતો. પત્રમાં, તેમણે વિનંતી કરી છે કે મૃત ધારાસભ્યને માન આપવા માટે અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી કોઈ ઉમેદવારને ઉભા ન કરો. વિધાનસભ્ય રમેશ લટકેનું આ વર્ષે મે મહિનામાં નિધન થયું હતું, ત્યારબાદ આ સીટ ખાલી પડી છે. 

બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે પુષ્ટિ કરી છે કે તેમને સદ્ભાવના સાથેનો પત્ર મળ્યો છે. તેમણે કહ્યું કે નિર્ણય લેતા પહેલા તેમણે પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવી પડશે.



બીજેપી નેતાને સંબોધિત પત્રમાં, MNS વડાએ જણાવ્યું હતું કે MNS મૃત ધારાસભ્ય માટે તેનું સન્માન બતાવવા માટે 3 નવેમ્બરની પેટાચૂંટણી લડશે નહીં. રાજ ઠાકરેએ આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


આ પણ વાંંચોઃ ટૅક ઑફ કરતાં જ તૂટ્યું વિમાનનું ટાયર, ઈટાલીના વાયરલ વીડિયોએ મચાવ્યો હાહાકાર

અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ તેમની પત્ની રૂતુજાએ ઉમેદવારી નોંધાવી છે. ઠાકરેએ કહ્યું કે MNS દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૂંટણી નહીં લડે. એમએનએસના વડાને અપીલ કરતાં તેમણે કહ્યું, "હું તમને વિનંતી કરું છું કે પેટાચૂંટણી ન લડો અને રુતુજા લટ્ટે સામે ઉમેદવાર ઊભા નહીં કરો. મેં સ્વર્ગસ્થ રમેશ લટકેનો રાજકીય ક્ષેત્રે વિકાસ જોયો છે."


અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેનું આ વર્ષે મે મહિનામાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. કોંગ્રેસ અને એનસીપીએ રૂતુજા લટ્ટેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ચૂંટણી લડી રહી છે.

રાજ ઠાકરેની વિનંતી પર, શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સાંસદ અરવિંદ સાવંતે કહ્યું, "હું રાજ ઠાકરેની અપીલનું સ્વાગત કરું છું, પરંતુ તે ઘણું મોડું થઈ ગયું છે. ઉમેદવારીપત્રો ભરાઈ ચૂક્યા છે અને ભાજપના કારણે આ ચૂંટણી અમારા પર લાદવામાં આવી છે. ભાજપ ભૂતકાળમાં પણ આવી જ પેટાચૂંટણી લડી ચૂકી છે.

આ પણ વાંચો: સલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2022 08:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK