Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CM શિંદે, ફડણવીસ અને અજિત  પાસે શરદ પવાર માટે નથી સમય, આમંત્રણનો કર્યો અસ્વીકાર

CM શિંદે, ફડણવીસ અને અજિત  પાસે શરદ પવાર માટે નથી સમય, આમંત્રણનો કર્યો અસ્વીકાર

01 March, 2024 07:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Politics: શિવસેના અને એનસીપી બંને અલગ થઈ ગયા અને પોતપોતાના અજાણ્યા બની ગયા. એકનાથ શિંદે જે એક સમયે ઉદ્ધવ સાથે હતા અને અજિત પવાર જે શરદ પવારની સાથે હતા તેઓ આજે ભાજપ સાથે છે.

CM શિંદે, ફડણવીસ અને અજિત  પાસે શરદ પવારના આમંત્રણનો કર્યો સ્વીકાર

CM શિંદે, ફડણવીસ અને અજિત  પાસે શરદ પવારના આમંત્રણનો કર્યો સ્વીકાર


Maharashtra Politics:મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. શિવસેના અને એનસીપી બંને અલગ થઈ ગયા અને પોતપોતાના અજાણ્યા બની ગયા. એકનાથ શિંદે જે એક સમયે ઉદ્ધવ સાથે હતા અને અજિત પવાર જે શરદ પવારની સાથે હતા તેઓ આજે ભાજપ સાથે છે. આ દરમિયાન શરદ પવારે તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બંને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને 2 માર્ચે તેમના નિવાસસ્થાને ભોજન સમારંભ માટે આમંત્રણ આપીને રાજકીય હલચલ વધારી દીધી હતી. જો કે હવે આ ત્રણેય નેતાઓએ શરદ પવારના આ આમંત્રણને ફગાવી દીધું છે.


શું છે સમગ્ર મામલો?
શરદ પવારે મહારાષ્ટ્ર (Maharashtra Politics) ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બંને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને 2 માર્ચે તેમના નિવાસસ્થાને લંચ માટે આમંત્રણ આપ્યું છે. ત્રણેય નેતાઓને પત્ર લખીને તેમણે કહ્યું કે, "તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રથમ વખત બારામતી આવી રહ્યા છે અને બારામતીમાં નમો મહારોજગાર કાર્યક્રમમાં ભાગ લેવા તેમની મુલાકાતથી હું ખૂબ જ ખુશ છું. તેથી,હું તમને ભોજન માટે આમંત્રિત કરવા માંગુ છું. હું આશા રાખું છું કે તમે આમંત્રણનો કૃપાપૂર્વક સ્વીકાર કરશો."



આ કારણે આમંત્રણ નકારી કાઢવામાં આવ્યું હતું
મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોએ તેમની પૂર્વ-નિર્ધારિત સરકારી વ્યસ્તતાઓને કારણે રાત્રિભોજન માટે શરદ પવારના આમંત્રણને નકારી કાઢ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે શરદ પવારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં કહ્યું છે કે 2 માર્ચનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે કારણ કે મોટા કાર્યક્રમો થવાના છે. તેથી, આ સમયે તમારા આમંત્રણને માન આપવું શક્ય બનશે નહીં.


સુપ્રિયા સુળેએ કરી મોટી જાહેરાત

NCP શરદ પવારના નેતા અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ વોટ્સએપ સ્ટેટસ પર બારામતી સીટ પરથી પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીટ પરથી અજિત પવારના એનસીપી ઉમેદવાર મેદાનમાં આવી શકે છે.


એનસીપીના સ્થાપક અને અત્યારની સરકારના સૌથી મોટા વિરોધી પીઢ નેતા શરદ પવારે આવતી કાલે બારામતીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પોતાના નિવાસસ્થાને બપોરનું ભોજન કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. શરદ પવારના આવા આમંત્રણનું સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે અને સત્તાધારી નેતાઓ તેમનું આમંત્રણ સ્વીકારશે કે કેમ એના પર સૌની નજર રહેશે. વિરોધીઓને લંચનું આમંત્રણ આપીને શરદ પવારનું હૃદયપરિવર્તન થયું છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK