આવતી કાલે નમો મહારોજગાર મેળાવા કાર્યક્રમ માટે ત્રણેય નેતા બારામતીમાં છે ત્યારે રાજકીય હરીફે પોતાના ઘરે જમવા બોલાવ્યા : જ્યાં કાર્યક્રમ થવાનો છે એ સંસ્થાના અધ્યક્ષ હોવા છતાં શરદ પવારને આમંત્રણ ન અપાતાં પગલું લીધું હોવાની ચર્ચા
શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજિત પવારને લંચનું આમંત્રણ આપ્યું
એનસીપીના સ્થાપક અને અત્યારની સરકારના સૌથી મોટા વિરોધી પીઢ નેતા શરદ પવારે આવતી કાલે બારામતીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પોતાના નિવાસસ્થાને બપોરનું ભોજન કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. શરદ પવારના આવા આમંત્રણનું સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે અને સત્તાધારી નેતાઓ તેમનું આમંત્રણ સ્વીકારશે કે કેમ એના પર સૌની નજર રહેશે. વિરોધીઓને લંચનું આમંત્રણ આપીને શરદ પવારનું હૃદયપરિવર્તન થયું છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)