Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યની ૩૦ ગૌશાળાઓને રાજ્ય સરકારનું ૫૪૦ લાખનું અનુદાન

રાજ્યની ૩૦ ગૌશાળાઓને રાજ્ય સરકારનું ૫૪૦ લાખનું અનુદાન

Published : 28 May, 2025 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ૩૦ ગૌશાળામાં રાખવામાં આવેલાં ૪૦૯૩ ગૌવંશનાં પ્રાણીઓ માટે કુલ મળી ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં ગોવંશનાં પશુઓની હત્યા કરવા પર પ્રતિબંધ છે ત્યારે દૂધ ન આપતાં પશુઓની સંખ્યા વધી રહી છે. એથી ગૌશાળાઓમાં એમની સાચવણી માટેનો ખર્ચ પણ વધ્યો છે. એથી રાજ્ય સરકારે રાજ્યની ૩૦ જેટલી ગૌશાળાઓને ‘સુધારિત ગોવર્ધન ગૌવંશ સેવા કેન્દ્ર યોજના’ અંતર્ગત ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરી એ માટે ગવર્નમેન્ટ રેઝલ્યુશન ૧૭ મેએ પાસ કર્યું છે. સરકાર પશુઓની સંખ્યાના આધારે ઓછામાં ઓછું ૧૫ લાખ રૂપિયા અને વધારેમાં વધારે ૨૫ લાખ રૂપિયાનું અનુદાન આપી રહી છે. આ અનુદાનની રકમ કઈ-કઈ ગૌશાળાને આપવી એ માટે રાજ્ય સ્તરીય કમિટી બનાવવામાં આવી હતી, જેણે કુલ ૪૩ પ્રસ્તાવમાંથી ૩૦ ગૌશાળાઓની પસંદગી કરી હતી. આ ૩૦ ગૌશાળામાં રાખવામાં આવેલાં ૪૦૯૩ ગૌવંશનાં પ્રાણીઓ માટે કુલ મળી ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK