વડા પ્રધાનની આગામી સભામાં હું તેમને પૂછીશ કે એ ભટકતા આત્માનું નામ શું છે અથવા કેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેમણે આવું નિવેદન આપ્યું છે
અજીત પવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પુણેની જાહેર સભામાં શરદ પવારનું નામ લીધા વિના તેમની સરખામણી ભટકતા આત્મા સાથે કરી હતી. તેમને લીધે જ મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હોવાનું વડા પ્રધાને કહ્યું હતું. પત્રકારોએ ગઈ કાલે આ વિશે સવાલ કરતાં નાયબ મુખ્ય પ્રધાન અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું હતું કે ‘હું જ્યોતિષી નથી. આ સંદર્ભમાં તેમના મનમાં શું છે એ કેવી રીતે કહી શકું. વડા પ્રધાનની આગામી સભામાં હું તેમને પૂછીશ કે એ ભટકતા આત્માનું નામ શું છે અથવા કેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેમણે આવું નિવેદન આપ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશ. તેઓ જે કહેશે એ હું તમને જણાવીશ.’