Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારામતી: અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન 30 લાખ રૂપિયાની ચોરી, સોનાની ચેઈન અને દાગીનાની લૂંટ

બારામતી: અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન 30 લાખ રૂપિયાની ચોરી, સોનાની ચેઈન અને દાગીનાની લૂંટ

Published : 02 February, 2026 06:14 PM | IST | Baramati
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચોરાયેલા દાગીનાની કુલ કિંમત 25 લાખથી 30 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે ચોરોની એક ટોળકીએ કથિત રીતે ભીડ અને ભાવનાત્મક ક્ષણનો લાભ લઈને ચોરીઓ કરી હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કેટલાક શંકાસ્પદ ચોરોને પકડી લીધા છે.

અજીત પવાર

અજીત પવાર


બારામતીમાં પીઢ નેતા અજિત પવારને અશ્રુભીની વિદાય આપવા માટે લાખો સમર્થકો એકઠા થયા હતા, ત્યારે અંતિમયાત્રા દરમિયાન લોકોની અનેક કિમતી વસ્તુઓ ચોરી થઈ હોવાના અનેલ અહેવાલો જાણવા મળ્યા છે, જેના કારણે આ ગૌરવપૂર્ણ પ્રસંગ પર પડછાયો પડ્યો છે. મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદાનું 29 જાન્યુઆરીના રોજ વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. 66 વર્ષીય નેતાનું 28 જાન્યુઆરીના રોજ બારામતી ઍરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.

અહેવાલ મુજબ, અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા વિશાળ ભીડ વચ્ચે લગભગ 15 શોકગ્રસ્તોની સોનાની ચેઈન ચોરી થઈ હોવાનો આરોપ છે. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત 25 લાખથી 30 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે ચોરોની એક ટોળકીએ કથિત રીતે ભીડ અને ભાવનાત્મક ક્ષણનો લાભ લઈને ચોરીઓ કરી હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કેટલાક શંકાસ્પદ ચોરોને પકડી લીધા છે, જ્યારે અન્યને પોલીસને સોંપવામાં આવ્યા છે.



૪૫ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે


ઍરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ૨૮ જાન્યુઆરીએ બારામતી વિમાન દુર્ઘટનામાં ૪૫ દિવસમાં પ્રારંભિક તપાસ રિપોર્ટ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોનું મોત થયું હતું. પુણેના સાંસદ અને નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે AAIB એ વિમાનનું બ્લૅક બૉક્સ સુરક્ષિત તાબામાં લેવામાં આવ્યું છે અને તપાસની પ્રગતિ પર વધુ ચર્ચા ટૂંક સમયમાં થશે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓછી દૃશ્યતાએ દુર્ઘટનામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે. જોકે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કારણ બહાર આવશે.

અજીત પવારનું સ્મારક બનશે


આ દરમિયાન, પવાર પરિવાર દ્વારા સ્થાપિત બારામતી સ્થિત શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાનના પરિસરમાં સ્વર્ગસ્થ નેતાનું સ્મારક સ્થાપિત કરવામાં આવશે, એમ એક નજીકના સહયોગીએ જણાવ્યું છે, જેમ કે PTI દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે. અજિત પવારના નજીકના સહયોગી અને પવાર પરિવારના વિશ્વાસુ કિરણ ગુજરે રવિવારે જણાવ્યું હતું કે સ્મારક વિદ્યા પ્રતિષ્ઠાન પરિસરમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ૨૮ જાન્યુઆરીના રોજ, પવાર આગામી જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં સવારે ૧૧ વાગ્યે બારામતીમાં એક જાહેર રૅલીને સંબોધિત કરવાના હતા. આ અકસ્માતના સમાચારથી રાજકીય ક્ષેત્રે શોકની લહેર ફેલાઈ ગઈ, વરિષ્ઠ નેતાઓ અને પક્ષના કાર્યકરોએ શોક અને અવિશ્વાસ વ્યક્ત કર્યો. અજિત પવારના મૃત્યુ પછી શરૂ થયેલી નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)ના NCP (SP) સાથેના વિલીનીકરણની ચર્ચાઓ પર મુખ્ય પ્રધાને હવે પ્રતિક્રિયા આપી છે. શું અજિત પવાર ‍BJP સાથે ચર્ચા કર્યા વિના NCPના વિલીનીકરણ અંગે નિર્ણય લે ખરા? દેવેન્દ્ર ફડણવીસે આ પ્રશ્ન પૂછ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો NCPના વિલીનીકરણની તારીખ નક્કી થઈ ગઈ હોત તો તેમણે અમને કહ્યું હોત. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે NCPએ વિલીનીકરણ અંગે નિર્ણય લેતાં પહેલાં અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 06:14 PM IST | Baramati | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK